આજે નોટબંધીની વરસી પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને ત્રાસદાયક ગણાવતાં કહ્યું કે, કોંગ્રેસ નોટબંધીને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પ્રામાણિક લોકો સાથે ઉભી છે. વડાપ્રધાન મોદીએ નોટબંધીના ફાયદા ગણાવ્યા તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો.
રાહુલે નોટબંધીને ટ્રેજડી ગણાવીને લખ્યું, “નોટબંધી ટ્રેજડી છે. અમે તે લાખો પ્રમાણિક ભારતીયોની સાથે ઉભા છીએ જેમનું જીવન અને રોજીરોટી વડાપ્રધાનના આ વિચારહીન કૃત્યુના કારણે બર્બાદ થઈ ગયું.” રાહુલે એક તસવીર ટ્વીટ કરી છે જેમાં તેમણે શાયરીના અંદાજમાં સરકાર પર નિશાન સાધ્યું છે. નોટબંધી દરમિયાન લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ રડતા હતા તેમની તસવીર સાથે લખ્યું, “એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ, તુમને દેખા નહીં આંખોકા સમુંદર હોના.”