કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ચુંટણી એજન્ડાને જાણે કે વધારે આક્રમક કર્યો છે આ વખતે રાહુલ ગાંધી ગુજરાતનાં પોતાના પ્રવાસમાં તમામ ધાર્મિક સ્થળો પર ફરી રહ્યો છે. સતત જનમેદની સાથે સંપર્ક કરી વધારે ને વધારે લોકોને કોંગ્રેસ તરફ આકર્ષવા તેના પ્રયત્નો સતત ચાલુ છે. રાહુલે આ વખતે ગુજરાતમાં જે ધાર્મિક સ્થળોની મુલાકાત કરી હતી તે સતત મીડિયા અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય છે.
રાહુલ ગાંધીએ ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો જેમાં તેણે 13 વિધાનસભા મત વિસ્તાર ખૂંદી નાખ્યો હતો અંબાજીમાં અંબાજી માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, શંખેશ્વરમાં જૈનપ્રભુ, પાટણમાં કાલિકા મૈયા અને દલિતોના ઇષ્ટદેવ વીરમાયાદેવ, વરાણામાં આઇ ખોડિયાર માતાજી તેમજ થરામાં વાળીનાથ દાદા સહિત કુલ 7 મંદિરોમાં દર્શન કર્યા હતા આમ ધાર્મિક સ્થળો પર ફરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો રાહુલ ગાંધીએ 12 સ્થળોએ જાહેરસભા સંબોધી હતી પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા કરી હતી, પાલનપુર, ડીસા, થરા અને પાટણમાં જાહેરસભા સંબોધી હતી. વરાણા, બહુચરાજી, મહેસાણા અને વિસનગરમાં સભા કરી હતી.
આ સિવાય રાહુલે અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા આદોલનના પ્રણેતા પ્રવીણ રામ સાથે મુલાકાત કરી હતી, હાર્દિક પટેલ સાથે પણ મુલાકાત કરી હતી
રાહુલ પાસે અત્યારે તો ઉતર ગુજરાતનું ભાજપ વિરોધી વાતાવરણ છે જેને જોતા ઉત્તર ગુજરાતની ૩૨ પૈકી ૨૫થી વધુ બેઠકો કોંગ્રેસ મેળવે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે. GST મુદ્દે રાહુલના નિવેદનો બાદ ૨૮% થી ઘટીને ૧૮% થતા સામાન્ય માણસના મનમાં કોંગ્રેસ પ્રત્યે કુણું વલણ થયું છે એટલી વાત તો સાફ છે
બીજી બાજુ ભાજપના કેટલાક નેતાઓની વાણી તેમજ વર્તનની નેગેટીવ અસર પણ સામે આવી રહ્યા છે.