શંકર સિહના ગયા પછી બધાં એવું માનતા હતા કે કોંગ્રેસમાં જુથવાદ ખતમ થઇ ગયો છે પણ વાસ્તવિકતા સાવ જુદીજ છે હવે કોંગ્રેસમાં જુથવાદ ફરી વકર્યો છે.
બે દિવસ પહેલાં કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખે એવો આરોપ લગાવ્યો હતો કે, કોંગી નેતા રાજુ મેમન ભાજપ સાથે હાથ મીલાવી રહ્યાં છે અને ભાજપના નેતા સાથે ખાનગી બેઠક કરી કોંગ્રેસને હરાવવા પૈસા લઇ રહ્યા છે જેના કારણે રાજુ મેમન ઉશ્કેરાયેલા છે એમણે ગ્યાસુદીન શેખ સામે શાપુરમાં મોરચો ખોલવાનું નક્કી શાહપુરમાં કોંગ્રેસ કેટલાં કામ નથી કર્યા એનો હિસાબ લઈને નીકળશે એટલું જ નહી પોતાનું શક્તિ પ્રદર્શન કરીને આખાય શાહપુરમાં કોંગ્રેસનો સનેડો કરશે
રાજુ મેમન કોંગી નેતા અને શાહપુરમાં મુસ્લીમ આગેવાન તરીકે સારું નામ ધરાવે છે એવામાં ચુંટણી તને બંનેની લડાઈ લોકોને મૂંજવી નાખશે માંડ માંડ કોંગ્રેસનો ગઢ બનેલી શાહપુરની આ વિધાનસભા સીટ પર રાજુ મેમન જો શાહપુરમાં કોંગ્રેસની સામે પડે તો વિજયી ગણાતી આ સીટ જીતવી ભારે પડે એમ છે.
આટલું ઓછુ હોય એમ મણીનગર અને દાણીલીમડા વિસ્તારમાં પકડ ધરાવતા અમદાવાદના નેતા વિજય કેલ્લા હવે કોંગ્રેસથી રીસાયા છે વિજય કેલ્લા કોંગ્રેસનો ઝંડો લઈને જૂતા ઘસતા હતા પણ આ વખતે એમણે વિધાનસભામાં ટીકીટ મળે એવા અણસાર લગતા નથી એટલે નારાજ થયેલા વિજય કેલ્લા ગુજરાત કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં જોડાઈ રહ્યા છે વિજય કેલ્લા નજીકના દિવસોમાં કોંગ્રેસ છોડી ભાજપમાં સાથી કાર્યકર્તા સાથે જોડાશે જેના કારણે કોંગેસને મોટો ફટકો પડશે