નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠકનાં પરિણામો આવ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે સમિતિની બેઠકના મુખ્ય પરિણામો શું હતા…
વ્યાજના દરમાં કોઈ ફેરફાર નહીં: નાણાકીય નીતિ સમીક્ષામાં, રિઝર્વ બેંકે વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, સામાન્ય લોકોને તેમની લોન EMI પર રાહત મળી નથી. રિઝર્વ બેન્કે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર જાળવી રાખ્યો છે.
કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણી 5 હજાર સુધી થશે: આરબીઆઈએ કહ્યું છે કે કોન્ટેક્ટલેસ કાર્ડની ચુકવણી 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2021 થી લાગુ થશે. તે જ સમયે, આગામી કેટલાક દિવસોમાં, આરટીજીએસ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા 24 કલાક મળશે.
અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારો: રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ વધી રહી છે. રિકવરીમાં કેટલાક નવા ક્ષેત્રો પણ ઉમેરવામાં આવ્યા છે. અનલોક થયા બાદ શહેરી માંગમાં વધારો થયો છે. દેશનો ગ્રાહક ખૂબ જ આશાવાદી છે. સિસ્ટમમાં પર્યાપ્ત પ્રવાહીતા અસ્તિત્વમાં છે. અર્થતંત્રએ ધારણા કરતા ઝડપી રિકવરી દર્શાવી છે. આ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ 7.5% રહેશે, જેનો અર્થ તે ઘટશે. આગામી ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિનો અંદાજ 0.1 ટકા છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથનો અંદાજ 0.7 ટકા છે.