નવી દિલ્હી : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) 15 જુલાઇએ તેની 43 મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજવા જઈ રહી છે. આ એજીએમ એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રિલાયન્સને ઘણી સફળતા મળી છે અને તેની માર્કેટ મૂડી વધી રહી છે. આ એજીએમમાં આરઆઇએલના વડા મુકેશ અંબાણી 5 જી જેવી મોટી ઘોષણાઓ કરશે કે કેમ તેના પર દરેકની નજર મંડાયેલી છે.
સતત ઊંચાઈ તરફ
લોકડાઉન અને વિશ્વમાં આર્થિક મંદી હોવા છતાં, છેલ્લા ત્રણ મહિનામાં, એક ડઝનથી વધુ વિદેશી કંપનીઓના રિલાયન્સના જિયો પ્લેટફોર્મમાં રૂ. 1,18,318.45 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તાજેતરના સમયમાં રિલાયન્સના શેરમાં સતત વધારાને કારણે કંપનીની માર્કેટ કેપિટલ 12 લાખ કરોડના આંકને વટાવી ગઈ છે. મુકેશ અંબાણી પોતે પણ અમીરો સ્ટેપ્સ ચડી રહ્યા છે. તેઓ તાજેરમાં જ દુનિયાના છઠ્ઠા ધનિક વ્યક્ત બન્યા છે. જિઓ પ્લેટફોર્મના આ રોકાણથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલેથી જ દેવા મુક્ત થઈ ગઈ છે. બીએસઈ પર મંગળવારે રિલાયન્સનો શેર વધીને 1916.65 રૂપિયા થયો હતો.