મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમ્યાન ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ઉષા બ્રેંકો દ્વારા આ કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે. આગામી ૩ થી ૫ મહિનામાં કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટીથી રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે. ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યુટી ફિકેશન કામ હાથ ધરાઇ રહ્યા છે. આ યાત્રાધામ સહિત સાસણ ગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથ દાદાનાં દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ-વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે.
મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે, આના પરિણામે જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગરની ઇકોનોમીને નવો વેગ મળશે.
Tuesday, May 21