જામનગરમાં ચકચાર મચાવે તેવો ચોરીનો એક બનાવ બન્યો છે. રાત્રીના અંધકારમાં તસ્કરોએ એક પેઢીના છતના પતરા ખસેડીને લાખો રૂપિયાની કિંમતની 30 કિલો ચાંદી લઇને રફૂચક્કર થઇ ગયા છે. જામનગરની મતવા શેરી જ્યાં આવેલી બોમ્બો રિફાઇનરી નામની પેઢીમાં રાત્રીના અંધકારમાં તસ્કરો કળા કરી ગયા. આ પેઢીના પતરા ખસેડીને તસ્કરો લાખો રૂપિયાની કિંમતની અંદાજે 30 કિલો ચાંદી લઇને રફૂચક્કર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ જ્યારે પેઢીના માલિકને થઇ ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જો કે પોલીસ આવે તે પહેલા લોકોના ટોળા વળ્યા હતા. જે બાદ પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલ નિષ્ણાતંની પણ મદદ લઈએ સ્થળ પંચનામું કર્યું હતું. ચોરીની આ ઘટનામાં જાણભેદુ શખ્સોની સંડોવણી હોવાની અને ચોરી કરવા મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા વ્યક્તિ કરી પોલીસે આ વિસ્તારમાં આવેલ પેઢીઓના સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Sunday, May 19