Zomato શેરની કિંમત સતત છઠ્ઠા દિવસે વેચવાલીનો શિકાર બની હતી. સોમવારે શરૂઆતના વેપારમાં કંપનીના શેર 2%ના ઘટાડા સાથે ખુલ્યા હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બ્લિંકિટના એક્વિઝિશનને મંજૂરી આપવામાં આવી ત્યારથી ડાઉનટ્રેન્ડ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, 24 જૂન, 2022ના રોજ ઝોમેટોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 4,447 કરોડ રૂપિયામાં બ્લિંકિટના અધિગ્રહણને મંજૂરી આપી હતી. આ સમાચાર બાદ NSE પર Zomatoના શેરની કિંમત 70.50 રૂપિયાથી ઘટીને 55.10 રૂપિયા થઈ ગઈ છે. 6 ટ્રેડિંગ સેશનમાં 20% નો ઘટાડો જોવા મળ્યો છે.
શું તેમાં સુધારાનો કોઈ અવકાશ છે?
શેરબજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાર્ટ પેટર્ન પર Zomatoના શેર પણ નબળા દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તે 30 થી 25 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો રોકાણકારોને નવી પોઝિશન લેવાનું ટાળવાની સલાહ આપી રહ્યા છે. સર્વાંકના પ્રિન્સિપાલ એસોસિયેટ યશવર્ધન સિંઘ કહે છે, “તાજેતરના ક્વાર્ટરમાં ઝોમેટોની ચોખ્ખી ખોટ ત્રણ ગણી વધી છે. આવી સ્થિતિમાં, રોકાણકારોને ખોટ કરતી કંપની દ્વારા નવી કંપનીનું અધિગ્રહણ પસંદ નથી.
સુમિત બગડિયા, ચોઈસ બ્રોકિંગ કહે છે, “Zoamto શેર ચાર્ટ પેટર્ન પર ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તે 50 રૂપિયાના સ્તરથી નીચે જઈ શકે છે. જો આ સ્ટોક 50 રૂપિયાના લેવલથી નીચે આવે છે તો તે 30 થી 25 રૂપિયા સુધી પણ જઈ શકે છે. રોકાણકારોએ અત્યારે અહીં નાણાં રોકવાનું ટાળવું જોઈએ. તેના સ્થાને અન્ય કોઈ સ્ટોક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.