હાલ દેશમાં CCA ના કારણે માહોલ ખરાબ થયો છે. દેશમાં જે પણ માહોલ હોય પરંતુ સુરત ખાતેથી આવેલ દ્રશ્યો ચોક્કસથી આનંદિત કરી દે છે. હિન્દુ વ્યાપારીએ પિતા વિહોણી 4 મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવ્યા છે. એટલુ જ નહીં આ દીકરીઓના લગ્ન થી લઇ તેમના ભવિષ્યમાં આવનાર સુખ દુખમાં તે પિતાની જેમ સાથે રહેશે. સૌથી અગત્યની વાત એ છે કે હિન્દુ પિતાએ આ પાંચ દીકરીઓના લગ્ન કરાવ્યા છે.જેની સાથે 39 મુસ્લિમ દીકરીઓના તેઓ પાલક પિતા બની ગયા છે.
દેશભરમાં હુલ્લડોને કારણે રોજ હિંસક તસવીરો સામે આવી રહી છે. ત્યારે સુરતના અબ્રામા વિસ્તારમાંથી આવેલી તસવીરો દેશના લોકોને પ્રેરણા આપે એવી છે. કારણ કે હિન્દુ પિતાએ પાંચ પિતા વિહોણી મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવ્યાં છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ તો દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવતા હોય છે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે તેઓ મુસ્લિમ સમાજમાંથી આવતી પિતા વિહોણી ગરીબ દીકરીઓ માટે પણ સામે આવ્યા છે.એક મુસ્લિમ પિતા જે રીતે પોતાની દીકરીના લગ્નમાં બેસીને વિધિ કરાવતા હોય છે તે જ રીતે મહેશ સવાણી પણ મુસ્લિમ પિતા વિહોણી દીકરીઓના પિતા બની વિધિ કરાવતા નજરે આવ્યા હતા. સૌથી અગત્યની વાત છે કે છેલ્લા 8 વર્ષમાં મુસ્લિમ સમાજની 39 દીકરીઓના લગ્ન કરાવી તેઓ તેમના પાલક પિતા બની ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ સમાજ જાતિ અને ધર્મની આશરે ૩૦૦૦ દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી દીકરીઓને તેમના પિતા નથી એવો એહસાસ થવા દેતા નથી.. ત્યારે મુસ્લિમ સમાજની દિકરીઓ માટે પણ આગળ આવેલા મહેશ સવાણીથી સમાજના લોકો ઘણુ બધુ શીખી શકે છે.