સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો. પ્રાણગઢ-ખોડુ રૂટની બસ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. એસટી બસ બંધ કરી દેવાતી અભ્યાસ માટે અપડાઉન કરતા ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને અન્ય વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે. ચક્કાજામને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
Thursday, May 16