નવી દિલ્હી : બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ બેંગકોકમાં આગામી ટુર્નામેન્ટો પહેલા લાદવામાં આવેલા પ્રતિબંધોથી ખુશ નથી. તેમણે કોવિડ -19 પ્રોટોકોલ અંતર્ગત લાદવામાં આવેલી પ્રતિબંધો અંગે નારાજગી વ્યક્ત કરતાં અનેક ટ્વીટ્સ કર્યા હતા.
ભારતીય ખેલાડીઓ બેંગકોકમાં 12 થી 17 જાન્યુઆરી સુધી યોનેક્સ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી, 19 થી 24 જાન્યુઆરી સુધી ટોયોટા થાઇલેન્ડ ઓપન અને બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 27 થી 31 જાન્યુઆરી સુધી રમાશે.
સાયનાએ વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (બીડબ્લ્યુએફ) ની ટ્રેનર અને ફિઝિયોને મળવા ન દેવા બદલ ટીકા કરી હતી. આ 30 વર્ષિય શટલરે વહેલી તકે કોઈ સમાધાન શોધવાની વિનંતી કરી છે
No Time for warm ups / taping / cool downs / stretches..we are talking about the best players in the world competing isn’t it ? We’ve spent a lot of money getting the physios and trainers along with us . If they can’t help us then why was this not told before ? @bwfmedia
— Saina Nehwal (@NSaina) January 5, 2021
સાઇનાએ પહેલા ટ્વિટમાં લખ્યું કે, ‘પરીક્ષણમાં દરેક નકારાત્મક હોવા છતાં, ફિઝિયો અને ટ્રેનર્સ અમને કેમ મળી શકતા નથી? અમે કેવી રીતે ચાર અઠવાડિયા સુધી પોતાને ફીટ રાખીશું. અમે ટૂર્નામેન્ટને વધુ સારી સ્થિતિમાં રમવા માંગીએ છીએ. કૃપા કરીને આનો હલ કરો.
પોતાના બીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘આખી ટીમને પ્રેક્ટિસ માટે માત્ર એક કલાકનો સમય મળી રહ્યો છે. તે જ સમયે જિમ કરવાનું રહે છે. માર્ચ સુધીનો સમય ઓલિમ્પિક ક્વોલિફિકેશનનો છે, તે ફિટનેસ માટે યોગ્ય નથી.
સાઇનાએ એમ પણ કહ્યું હતું કે, ખેલાડીઓને અગાઉથી જાગૃત કરી દેવા જોઈએ કે તેઓને થાઇલેન્ડમાં તેમના સ્પોર્ટસ સ્ટાફને મળવા દેવામાં આવશે નહીં.