પંજાબ નેશનલ બેન્ક વિવાદમાં છે કારણ કે 11 હજાર કરોડનું મહાકૌભાંડ સામે અાવ્યુ છે. ભલે પછી દેશનો બીજો વિજય માલ્યા ગણાતો નીરવ મોદી બેન્કને કરોડોનો ચુનો લગાવ્યો છે. પરંતુ બૅન્કનો ઇતિહાસ ભારત માટે આર્થિક શક્તિ પ્રદાન કરનાર રહ્યો છે.
તમે જાણો છો કે બેંકનો ઇતિહાસ 122 વર્ષ જુનો છે.1900 માં, બેંકે સૌ પ્રથમ લાહોરની બહાર કરાચી-પેશાવર (હવે પાકિસ્તાનમાં) માં શાખા ખોલી હતી.સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાય બેંકનો પ્રારંભ કરાવા માટે મુખ્ય યોગદાન આપનાર હતા.
તે સમયે લાલા લજપત રાય, લાલા હરકિશન લાલ, કાલિ પ્રસન્ના રોય, પારસી ઉદ્યોગપતિ ઇસી જેસાવલા, મુસલમાનના રિસ પ્રભુ દયાલ, જયશી રામ બક્ષી અને લાલા ડોલન દાસ સાથે સ્વદેશી ઝુંબેશ સાથે સંકળાયેલા દયાલસિંહ મજીઠિયાએ બેંકની સ્થાપના કરી હતી. આ બેંક સંપૂર્ણપણે ભારતીય મૂડી સાથે શરૂ કરવામાં આવી હતી. તે સમયે, 14 મૂળ શેર ધારકો અને 7 ડિરેક્ટરોએ ખૂબ ઓછો સ્ટોક લીધો હતો.આ પાછળનું કારણ એ હતું કે બેંક સામાન્ય લોકોની પહોંચમાં હતી અને તેના નિયંત્રણ અન્ય શેર ધારકો સાથે હતો.
બેંકમાં લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ, જલીયાવાલા બાગ કમિટી સહિત મહાત્મા ગાંધીના હિસાબ પણ હતા.પંજાબ નેશનલ બેન્કનું પ્રથમ 1969માં અન્ય બેંકો સાથે રાષ્ટ્રીયકરણ કરાયું હતુ.આજે બેન્કની શાખાઓ યુકે, હોંગ કોંગ, કાબુલ, શાંઘાઇ અને દુબઈમાં પણ છે.