અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠકનો મોટો વિસ્તાર ઉત્તર ગુજરાતનાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવે છે પાટીદાર આંદોલન વખતે આ વિસ્તાર સતત ચમકતો રહ્યો છે હાલ અહીના ધારાસભ્ય તરીકે અરવિંદ પટેલ છે જેમની સામે વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસમાંથી ભરત પટેલે ઉમેદવારી નોધાવી હતી અને પરાજય મેળવ્યો હતો જો કે આ વખતની ચુંટણીમાં કોંગ્રેસ માટે આ બેઠક જીતવી થોડીક આસાન બની રહે તેમ છે
ભાજપ દ્વારા આ વિસ્તારના મતદારોને પ્રભાવિત કરવા માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન આપવાનો પ્રયાસ કર્યા છે જોકે આ વિસ્તારની મોટી અને વર્ષોથી લોકોને સતાવી રહેલી સમસ્યા GST ફાટક પરના ઓવરબ્રીજની છે છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્ર લોકોને ધ્રુવીકરણ વધવા પામે છે પરંતુ માત્ર ફાટક પર બ્રીજની વર્ષો જૂની સમસ્યાની કોઈ નિવેડો નહી આવતા લોકોમાં ભાજપ માટે ભારે રોષ પ્રવર્તયો હતો
કોંગ્રેસ દ્વારા આ વખતે આ બેઠક પર મહિલા ઉમેદવારને લડાવવાનો પ્રયાસ થાય તેવી શક્યતા રહેલી છે પરંતુ નારણપુરાના કોંગ્રેસના જુના ઉમેદવાર ડૉ. જીતુભાઈ પટેલ આ વખતે પોતાનું નસીબ સાબરમતી બેઠક પર અજમાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતનાં પાટીદાર મતદારોને પોતાની તરફેણમાં ફરીને બેઠક જીતી લેવાનો મનસુબો કોંગ્રેસના મોભીઓ સમજી રજુ કરી રહ્યા છે.
જો કે આ બેઠક પરંપરાગત રીતે હાલ ભાજપ પાસે છે અને તે જાળવી રાખવી હોયતો ભાજપના ઉમેદવારે વધારે મહેનત કરવી પડશે કારણકે હાલના ધારાસભ્ય જોઈએ તે પ્રમાણે કોઇપણ રીતે સક્રિય રહ્યા નથી તેથી ભાજપ કોઈ ઉમેદવાર ચોક્કસપણે બદલવામાં આવશે ત્યારે નવા ઉમેદવારની જવાબદારી ખુબજ વધી જશે તે હકીકત છે.