સીમાંકન બાદ ગોઠવાયેલી નવી વ્યવસ્થા પ્રમાણે અમદાવાદ દાહોદમાં દાણીલીમડા અને અસારવા બંને બેઠક અનામત બેઠક છે અસારવાની બેઠક હાલ ભાજપ પાસે છે જયારે દાણીલીમડાની બેઠક ઉપર પૂર્વ મંત્રી મનુભાઈ પરમારના પુત્ર શૈલેશ પરમાર ચુંટાયેલા છે દાણીલીમડાની બેઠક સ્વાભાવિક રીતે કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાય છે
ભાજપે આ વખતે જે ૧૫૦ પ્લસ બેઠકો મેળવવાનો સેવ્યો છે તેમાં દાણીલીમડા બેઠક પર પણ નજર દોડાવી છે અગાઉ રાજપામાંથી ચુંટણી લડેલા ગીરીશભાઈ પરમારે આ બેઠક પરથી વિજય પ્રાપ્ત કરીને પ્રધાનપદુ મેળવ્યું હતું
મોટાભાગે દલિત, શ્રમિક તેમજ મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ ધરાવતો આ વિસ્તાર છે જોકે દલિત સક્ષમ ઉમેદવારની પસંદગી જો ભાજપ દ્વારા કરવામાં આવે તો આ બેઠક મેળવવી ભાજપ માટે કોઈ રીતે મુશ્કેલ નથી કારણકે કોંગ્રેસના ઉમેદવાર શેલેશ પરમાર દ્વારા આ વિસ્તારના નાના મોટા ઉદ્યોગપતિઓ સહિત બિલ્ડરો સામે હેરાનગતિની અનેકવિધ ફરિયાદો ઉઠેલી છે તેવી જ રીતે ખુદ કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તેમની સામે વિરોધ પણ ઉઠેલો છે
દાણીલીમડાની આ બેઠક પર કોંગ્રેસના બદરૂ દીન શેખ સહિત અનેક ઉમેદવારો દ્વારા પણ દાવેદારી નોધવામાં આવી છે તેવી જ રીતે હાલ ભાજપમાં કાર્યરત એવા ગીરીશ પરમારે પણ આ બેઠક પર ભાજપ તરફથી ફરીથી લડવાની ઈચ્છા વ્યક્ત કરેલી છે.
દાણીલીમડા વિસ્તારમાં જ સંખ્યાબંધ પ્રોસેસ હાઉસ આવેલા હોઈ આ વિસ્તારના નાગરિકો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે પ્રદુષણનો પ્રશ્ન આ વિસ્તારના લોકો માટે મુખ્ય છે
ઉપરાંત શ્રમિકોનો વિસ્તાર હોવાના કારણે શિક્ષણ આરોગ્ય અને સફાઈ તથા રખડતાં ઢોરની મુખ્ય સમસ્યાઓ છે જોકે દલિત અને મુસ્લિમ મતદારોનો જુકાવ સ્વાભાવિક રીતે કોંગ્રેસ તરફ હોવાથી ભાજપના ઉમેદવારે ભારે પરિશ્રમ ઉઠાવવો પડશે તે પણ વાસ્તવિક હકીકત છે