મોરબી પાલિકામાંથી મુંબઈની જીવિત વૃદ્ધાનો બોગસ મરણનો દાખલો કાઢી તેના આધારે વલસાડમાં જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં બોગસ મરણનો દાખલો કાઢનાર પાલિકાના બે કર્મચારીઓને તાત્કાલિક છુટા કરી દેવામાં આવ્યા હતા.ત્યારે વલસાડ પોલીસની તપાસમાં મરણના દાખલામાં કાઉન્સિલરની સહી હોવાનું ખુલતા વલસાડ પોલીસે તેમને ખુલાસા માટે તેડાવ્યા હતા.
મોરબી પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી નાણાંના વહીવટના જોરે બોગસ જન્મ મરણના દાખલા નીકળતા હોવાના પુરાવારૂપ ઘટના બહાર આવી હતી. જેમાં મુંબઇની એક વૃદ્ધા જીવીત હોવા છતાં કેટલાક શખ્સોએ કાવતરું રચીને તેમના બોગસ મરણનો દાખલો મોરબી પાલિકામાંથી કઢાવી લઈને વલસાડમાં જમીન હડપી લેવાનું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડથી મોરબીમાં બોગસ જન્મ મરણના દાખલા નીકળતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
કૌભાંડની જાણ થતાં પાલિકાએ તાત્કાલિક જવાબદાર બે કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા. વલસાડ પોલીસની તપાસમાં ડેડ સર્ટિફિકેટના ડોક્યુમેન્ટમાં મોરબી પાલિકાના વોર્ડ નં.૬ ના કાઉન્સિલર અનિલભાઈ હડિયલની સહી હોવાનું ખુલતા વલસાડ પોલિસે આ મામલે તેમની પૂછપરછ કરવા કઉન્સિલર હાજર રહેવાની નોટિસ જારી કરી હટી.. આ મામલે હજુ પણ કંઈક નવા જુનીના એંધાણ જણાઈ રહ્યા છે.