અાજકાલની લાઈફ સ્ટાઈલમાં 4માંથી 3 લોકો ડાયાબિટીસથી પીડાય છે અેટલેકે બ્લડ સુગરની બીમારીનો શિકાર હોય છે. આ બીમારી લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાથી થાય છે, જેનુ મુખ્ય કારણ અાપણી ખોટી ખાવાની અાદત છે. ખાવા-પીવાની આદતોમાં થોડો ફેરફાર કરીને આ બીમારીના ખતરાને ઘટાડી શકાય છે અને સાથે સાથે આ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે.
એક સંશોધન મુજબ, ખાનપાનની આદતોમાં થોડોક સુધારો કરતા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.
તુલસીના માંજરને જૈતુનના તેલમાં, બદામ સાથે સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. ડાયાબિટીસમાં સુગર કન્ટ્રોલ કરવા માટે સરકો શ્રેષ્ઠ ઉપાય છે. ભોજન પહેલાં 2 ચમચી સરકો લેવાથી ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થશે
મેથીના દાણાનું રોજ સેવન કરવાથી સુગર કન્ટ્રોલ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ તેનો શાકભાજી, લોટમાં મેળવીને અથવા દાળ સાથે નિયમિતપણે ખાવાથી ફાયદો થાય છે.લોહીમાં સુગર કન્ટ્રોલ કરવામાટે ફાઈબરનું ખુબજ મહત્વ રહ્યું છે.તે માટે તમારે ઘંઉ,બ્રાઉન રાઈસ, વીટ બ્રેડ ખાવું જોઈએ.
ફાસ્ટ ફૂડમાં ન માત્ર નમક હોય સાથે સાથે સુગર અને કાર્બોહાઇડ્રેટ્સ તેલ પણ હોય છે. તે શરીરમાં બ્લડ સુગર લેવલને વધારવાનું કામ કરે છે.અામ ડાયાબિટીસના દર્દીઓએ ફાસ્ટ ફૂડ ખાવું ન જોઈએ.
તમારા ડાયટ પ્લાનમાથી ઘી અને નારિયેલ તેલ સિવાય પૂરી, કચોરી, સમોસા, પકોડા વગેરે જેવી વસ્તુઓ પણ કાઢી નાંખો. તેના સિવાય ગોળ, ખાંડ, મુરબ્બો, મધ, પિઝા, બર્ગર, ક્રીમ રોલ, આઇસક્રીમ અને સોફ્ટડ્રિંક જેવી વસ્તુઓ પણ કાઢી નાખશો. તળેલી વાનગીઓથી શરીરમાં ચરબી અને સુગરનું પ્રમાણ વધે છે.અામ થોડી તકેદારી રાખવાથી ડાયાબિટીસ પર કંટ્રોલ મેળવી શકાય છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.