એંવાયરમેન્ટ વિભાગમાં પોતાના ઘરની ધોરાજી હાંકનારા કોણ ?
આ વિવાદી પ્રકરણમાં મુદ્દાની વાત એ છે કે સુમુખ ટાઉનશીપના બિલ્ડર અને તેઓના આ ગેરકાયદે કૃત્યમાં મદદ કરનારાઓ શંકાના દાયરામાં હોવાછતાં તેઓ સામે કોણ પગલાં ભરશે ?
વલસાડમાં સુમુખ ટાઉનશીપ બાંધકામ મામલે ‘વહીવટ’ કરનારા ભ્રષ્ટાચારીઓ સામે હજુપણ એક્શન નહિ લેવાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે અને ઘર ની ધોરાજી હાંકનારાઓની હવે હિંમત વધી ગઈ છે ત્યારે સામાન્ય જનતા માં ‘લાગવગીયાઓ’ ને છાવરવામાં આવતા હોવાની છાપ મજબૂત થઈ રહી છે.
એંવાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ ની પરમિશન તા.9 મી ડિસેમ્બરે મળી અને માત્ર 17 દિવસમાં જ ચાર થી વધુ માળ નું બિલ્ડીંગ કેવી રીતે બની શકે ? તે વાત ને લઈ સુમુખ ટાઉનશીપના બિલ્ડર અને તેઓના આ ગેરકાયદે કૃત્યમાં મદદ કરનારાઓ શંકાના દાયરામાં આવી ગયા છે.
બિલ્ડર ના પેનલ્ટી પાત્ર આ બાંધકામ ને પણ નજર અંદાજ કરી દઇ સબંધિત વિભાગ ના અધિકારીઓ ની ટોળકી એ મોટો ખેલ પાર પાડી દીધો હોવાનું સામે આવ્યું છે પરંતુ હજુસુધી આ વિવાદાસ્પદ પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી તે પણ ચમત્કાર થી કમ નથી.
સત્યડે અખબાર માં તા.17 જૂને છાપેલા અહેવાલ માં સ્પષ્ટ કરાયું હતું કે સુમુખ ટાઉનશીપ નું બાંધકામ એંવાયર મેન્ટ ની પરમિશન વગર જ ધબેડી દેવાયું છે, ત્યારબાદ બિલ્ડર સફાળા જાગ્યા હતા અને તેઓ એ તા.2/8/2021 ના રોજ EC માટે એપ્લિકેશન કરી હતી પરંતુ નવાઈ ની વાત તો એ છે કે સબંધિતો પણ પેનલ્ટી મારવાને બદલે બિલ્ડર ના ખોળા માં બેસી ગયા અને ભીનું સંકેલી લેવાની કળા કરી હોવાનું સામે આવી ગયું છે.
અગાઉ જ્યારે બિલ્ડરે નિયમ ભંગ કર્યો તે સમયે જ આ અખબારે તંત્ર નું ધ્યાન દોર્યું હતું પણ તેને નજર અંદાજ કરી છેક અડધું બિલ્ડીંગ ઉભુ થયું ત્યારે તા.9 ડિસેમ્બર ના રોજ પરમિશન આપવામાં આવી, જે બતાવે છે કે ખાતાઓ માં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે.
સામાન્ય રીતે 20,000 ચોમી થી વધારેની પરવાનગી આપવામાં આવી હોય તેવા સંજોગો માં એંવાયરમેન્ટ ક્લિયરન્સ ફરજિયાત કરાવવું પડતું હોય છે ત્યારે જેતે સમયે સુમુખ ટાઉનશીપ ની નગરપાલિકા માંથી 53462 ચોમી ની રજા ચિઠ્ઠી પરવાનગી મળી હોય તેવું પેનલ્ટી પાત્ર બાંધકામ ચાલુ કરી દેવાતા આખો મામલો સામે આવ્યો હતો.
બીજું કે નિયમ વિરૂદ્ધ જો બાંધકામ કરવામાં આવે તો એંવાયર વિભાગ દ્વારા જેટલી રકમ નું બાંધકામ થયું હોય તેનાથી અડધી રકમ ની પેનલ્ટી મારવામાં આવતી હોય છે પરંતુ અહીં તો 20000 ચોમી થી વધુ નું બાંધકામ થયું ત્યાં સુધી પરમિશન લેવામાં નહિ આવતા સત્યડે અખબાર માં અહેવાલો છપાતા બિલ્ડર દોડતો થઈ ગયો હતો અને 2-8-2021 ના રોજ મોડેમોડે EC માટે એપ્લિકેશન આપી અને હવે છેક 9 મી ડિસેમ્બરે પરમિશન મળી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે આ આખા ગેરકાયદે મામલામાં પેનલ્ટી મારવાને બદલે પરમિશન કેવી રીતે આપી તે તપાસ નો વિષય છે.
વલસાડ માં સુમુખ ટાઉનશીપ ની નગરપાલિકા માંથી જેતે વખતે 53462 ચોમી ની પરમિશન મળી તે સમયે પરમિશન વગર તેનું પેનલટીપાત્ર બાંધકામ થઈ જતા આ અખબારે આ વાત ઉજાગર કરતા બિલ્ડરે પેનલટીપાત્ર બાંધકામ કર્યાં બાદ 2-8-2021 ના રોજ EC માટે એપ્લિકેશન આપી હતી એ અગાઉ આ અખબારે તંત્ર નું ધ્યાન દોર્યું હતું પણ તેને નજર અંદાજ કરવામાં આવ્યુ હતું અને હવે છેક અડધું બિલ્ડીંગ ઉભુ થયું ત્યારે તા. 9 ડિસેમ્બર ના રોજ પરમિશન આપવામાં આવી છે જે ખાતાઓ માં ચાલતા ભ્રષ્ટાચાર ની ઝલક માત્ર છે.
સામાન્ય જનતામાં આ પ્રકરણ ભારે વિવાદી બન્યુ છે અને ‘લાગવગીયાઓ’ ને છાવરવામાં આવતા હોવાની છાપ મજબૂત થઈ રહી છે
હવે સવાલ એ ઉભો થાય છે કે જે કંપની કન્સલ્ટનસી કરે છે તે શું ઉપર આવાજ રિપોર્ટ કરતી હશે ? અને જો આવું જ હોય તો આવા તો કેટલાય પ્રોજેક્ટ માં આવી ગેરરીતિ ચાલતી હશે તે વાત પણ વિચારવા જેવી છે અહીં કેટલો ભ્રષ્ટાચાર ચાલતો હશે તે તપાસ નો વિષય છે.
વલસાડ માં ચાલતા આવા ગોરખધંધા અને બિન્દાસ બનેલા વગદાર શાહી નું આ નાનકડું ઉદાહરણ માત્ર છે ત્યારે આ વિવાદી મામલે કોની સામે પગલાં ભરાય છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.