ઘાટલોડિયાની પાડોશમાંજ આવેલી નારણપુરાની વિધાનસભાની બેઠક પણ ભાજપનો ગઢ ગણાય છે આ બેઠક પરથી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટાયા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પૂર્વે તે રાષ્ટ્રીય મહામંત્રી હતા અને બે મહિના પૂર્વે જ ધારાસભ્ય પદેથી સીધાજ રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ ચૂંટાતા ધારા સભ્યપદેથી રાજીનામુ આપતા હાલ બેઠક ખાલી પડેલી છે.જે પ્રમાણે ઘાટલોડિયાની બેઠક પર પાટીદાર મતોને વર્ચસ્વ છે તેવી જ રીતે વસ્ત્રાપુરની બેઠકમાં obc મતદારો સારા એવા પ્રમાણના વર્ચસ્વ ધરાવે છે સામાન્ય રીતે obc મતદારોને કુણું વલણ કોંગ્રેસ પ્રત્યે રહેતું હોય છે પરંતુ આ બેઠક ઉપર વર્ષોથી ભાજપને વર્ચસ્વ રહ્યું છે હા ભાજપ obc ઉમેદવારો અગાઉ જરૂર ચૂંટાઈ આવ્યા છે
પરંતુ આ વર્ષે પાટીદારો દ્વારા અનામતની માંગણીને આંદોલન અને આ વિસ્તારના સીમાડાઓ પર પાટીદારો અને obc વર્ગ વચ્ચેના અથડામણના બનાવો પણ બની ચુક્યા છે તેવા સંજોગોમાં અનામત બચાવો નીતિ સંદર્ભે obc મતદારો કોના પર કળશ ઢોળે છે તે સમજી શકવું બંને પક્ષ માટે હાલ મુશ્કેલી ભર્યું કામ છે.
જોકે કૉંગેસમાં obc નેતા અલ્પેશ ઠાકોરે ઝુકાવ્યું છે પરંતુ હજુ હાર્દિકને ઘણા નોંધવાનું કોંગ્રેસે ચાલુ જ રાખ્યું છે તે સંજોગોમાં હાર્દિક સાથે ક્યાં સંજોગોમાં કેવા પ્રકારે સગવડિયા લગ્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે તેના ઉપર સમગ્ર પરિસ્થિતિને મદાર રહેલો છે
તેથી કોંગ્રેસ અને ભાજપ દ્વારા સ્વાભાવિક રીતે જ વિધાનસભા 2014ની ચૂંટણીમાં ફરજિયાત રીતે obc ઉમેદવારની જ પસંદગી કરવામાં આવશે તેવી પુરી શક્યતા રહેલી છે અગાઉ આ બેઠક પર અમિત શાહની સામે કોંગ્રેસના ડૉ. જીતુભાઇ પટેલ ચૂંટણી લડ્યા હતા એક વખતે પોતાની પસંદગી સાબરમતી વિધાનસભા પર ઉતારી રહ્યા છે જયારે ભાજપમાંથી હાલના મેયર ગૌતમ શાહ અને અમિતશાહના અન્ય સમર્થકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે પરંતુ નારણપુરા અને ઘટલોડિયા એમ બન્ને બેઠકો ઉપર કોઈપણ સંજોગોમાં અમિત શાહના સમર્થિત ઉમેદવારના મુકાય તેની તકેદારી હરીફ જૂથ દ્વારા ચોક્કસપણે રાખવામાં આવશે તે હકીકત નિર્વિવાદ છે