કોઈના પણ મોત બાદ ફ્યૂનરલ વિશે તમે ઘણી બધીવાર સાંભળ્યુ હશે પરંતુ શું તમે જીવતા લોકોના ફ્યુનરલ વિશે ક્યારેય સાંભળ્યુ છે. સાઉથ કોરિયાની એક કંપની જીવતા લોકો માટે ફ્યુનરલની રજૂઆત કરી છે. જીવનના સારું બનાવવા માટે હ્યોવોન હીલિંગ નામની કંપનીએ જીવતા જ અંતિમ સંસ્કાર કરાવવાની ઓફર આપી છે. કંપનીનું કહેવું છેકે, તેમણે “લિવિંગ ફ્યૂનરલ”નો કન્સેપ્ટ વર્ષ 2012માં શરૂ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 25000 લોકો જીવતા અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા છે.
કંપનીએ દાવો કર્યો છેકે, લોકો પોતાની મરજીથી તેમની પાસે આવે છે. અને દરેક લોકો મરતા પહેલાં મોતનો અહેસાસ કરીને જીવનને સારી બનાવવાનાં પ્રયાસ કરે છે. આ સંદર્ભમાં 75 વર્ષનાં ચો જે હીએ કહ્યુકે, જો એક વાર તમે મોતને મહેસૂસ કરી લો છો તો તમે જીંદગી પ્રત્યે એક નવુ દ્રષ્ટિકોણ અપનાવે છે. તેમણે હાલમાં જ “લિવિંગ ફ્યૂનરલ”માં પોતાના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.
“લિવિંગ ફ્યૂનરલ”માં 15 વર્ષથી 75 વર્ષ સુધીનાં લોકો ભાગ લઈ શકે છે. આ બધા લોકો 10 મિનિટ સુધી બંધ શબપેટીમાં રહે છે. આ દરમિયાન અંતિમ સંસ્કારની બધી વિધિ પૂર્ણ થાય છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક્સ કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ્સ બેટર લાઈફ ઈન્ડેક્સનાં 40 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં દક્ષિણ કોરિયા 33 મા ક્રમે છે. દક્ષિણ કોરિયન લોકોને શિક્ષણ અને રોજગાર માટેની વધુ આશા છે, જે નબળી અર્થવ્યવસ્થા અને વધતી જતી બેકારીને કારણે નીચે આવી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, 2016 માં દક્ષિણ કોરિયામાં આપઘાત દર એક લાખ લોકો દીઠ 20.2 હતો, જે વૈશ્વિક સરેરાશ (10.53) કરતા લગભગ બમણો છે. આ સંદર્ભમાં દેશમાં લોકોના જીવન પ્રત્યે સકારાત્મક વલણ ઉભું કરવાના પ્રયત્નો ‘લિવિંગ ફ્યુનરલ’ દ્વારા કરવામાં આવી રહ્યા છે.