અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારથી નિકોલ વિધાનસભામાં પાટીદારોનું વર્ચસ્વ છે અને પાટીદાર અનામત આંદોલનમાં આ વિસ્તારથી લોકો પણ મોટા પ્રમાણમાં પોલીસ દમનનો ભોગ બન્યા હતા નિકોલ વિધાનસભા મત વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદારોની સંખ્યા સવિશેષ છે।
આ બેઠક વર્તમાન ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર નરસીંહભાઈ ઘોરી સામે તે સમયે ૪૮૭૨૧ મતોથી સરસાઈથી બેઠક જીત્યા હતા.
૨૦૧૫માં યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસે પોતાનું પાણી બતાવીને પગપેસારો કર્યો હતો અહીના મોટા ભાગના મતદારો ભાજપથી નારાજ છે અને કેટલાક વિસ્તારોમાં તો ભાજપ માટે ૧૪૪ની કલમ દર્શાવીને પ્રવેશબંધી ફરમાવતા બોર્ડ પણ લગાડવામાં આવ્યા ત્યારે નારાજ મતદારોને કેવીરીતે મનાવવા તેની આયોજન પણ ભાજપના ઉમેદવારો અને ભાજપનું મવડી મંડળ કરી રહ્યા છે
નિકોલ વિધાનસભામાં હાલને તબક્કે ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષમાંથી દાવેદારોને રીતસર રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા આ વિસ્તારમાં ઉમેદવારની પસંદગી માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જોકે પાટીદારોમાં ગુસ્સો હજુ શાંત પડ્યો નથી અનામતની આગ હજુ બુઝાઈ નથી અને પોલીસ દમનનો વિઝાયેલો કોરડો પણ લોકોને હવે બુલેતને બદલો બુલેટ દ્વારા લેવાની પ્રેરણા આપી રહ્યો છે ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ છે ઉપરાંત ભાજપે ૧૫૦ પ્લસ બેઠકો મેળવવા માટે જયારે નવી નવી બેઠકો પ્રાપ્ત કરવાની છે ત્યારે અગાઉ મેળવેલી બેઠકો ગુમાવવાનું તો કોઈ સંજોગોમાં પોષાય તેમ નથી