#WATCH Pune: Aamir Khan says "have contracted Swine Flu and are skipping the event so that others do not contract the same". pic.twitter.com/xIa4keG2Mz
— ANI (@ANI) August 6, 2017
આમિરે ‘સત્યમેવ જયતે વોટર કપ’ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની મેડિકલ કન્ડિશનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે. પરંતુ અમે દુ:ખી છીએ કે, આખું વર્ષ મહેનત કર્યા બાદ અમે તમારી સાથે ખુશી મનાવીએ ત્યારે અમે આ જ સમયે બીમાર થઇ ગયા છીએ.
આમિરે વધુમાં જણાવ્યું કે, આ બિમારી એવી છે કે જેમાં H1N1 વાઇરસ બહુ ઝડપથી ફેલાય છે અને સામાન્ય રીતે લોકો તેને સ્વાઇન ફ્લુ કહે છે. સ્વાઇન ફ્લુ રોગની એક તકલીફ છે કે, હું કોઇપણ જગ્યાએ જઇશ ત્યાં લોકોને આ રોગ થવાની શક્યતા રહેશે. તેથી હવે એક અઠવાડિયા સુધી અમે ઘરમાં જ રહીશું. જેથી અમારા દ્વારા આ રોગ કોઇ બીજાને ન થાય. આ કારણે જ અમે સત્યમેવ જયતે ઇવેન્ટમાં ભાગ નથી લઇ શક્યા તેનું અમને ખૂબ દુ:ખ છે.