અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગભગ ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે આ બંને ની જોડી હોટ કપલ તરીકે જાણીતી છે . સોશિયલ મીડિયા પર ચાહકો ફક્ત એ જાણવા માંગે છે કે આ બંને ક્યારે લગ્ન કરશે. હવે આખરે આલિયાએ તેના અને રણબીરના લગ્ન વિશે ખુલાસો કરતા કહ્યું છે કે બંનેએ લગ્ન કરી લીધા છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે મનમાં હું રણબીર સાથે લગ્ન કરી ચૂકી છું. આલિયાએ કહ્યું- “મારા મગજમાં હું પહેલેથી જ રણબીર સાથે લગ્ન કરી ચૂકી છું. વાસ્તવમાં, મેં રણબીર સાથે લાંબા સમયથી લગ્ન કર્યા છે. દરેક વસ્તુનું એક કારણ હોય છે, જ્યારે પણ અમે લગ્ન કરીશુ ત્યારે ખૂબ જ સારી રીતે થશે.”
આલિયા અને રણબીર 2017માં મળ્યા હતા. આ દંપતીએ થોડા સમય માટે તેમના સંબંધોને લોકોની નજરથી દૂર રાખ્યા હતા, પરંતુ 2018 માં તેઓએ અભિનેત્રી સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એકસાથે હાજરી આપીને તેમના સંબંધો પર મહોર મારી હતી.વર્ષ 2020માં આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે રણબીરને તેના અને આલિયાના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રણબીરે કહ્યું હતું કે, “જો કોરોના મહામારી ન હોત તો તેણે આલિયા સાથે લગ્ન કરી લીધા હોત.”આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. બ્રહ્માસ્ત્ર ઉપરાંત, આલિયા એસએસ રાજામૌલીની ‘RRR’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ જોવા મળશે જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.