ભારતમાં કોરોનાની રફતાર ધીમી પડી ગઈ છે.ચાલીસ દિવસ બાદ ભારતમાં કોરોનાના સામે આવેલા નવા કેસની સંખ્યા 50000 કરતા ઓછી રહી છે.મળતી વિગતો પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં 44877 નવા કેસ સામે સામે આવ્યા છે અને આ જ સમયગાળમાં 684 લોકોના મોત થયા છે.કોરોના વાયરસથી દેશમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4.26 કરોડ થઈ ગઈ છે.જ્યારે દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 5.37 લાખ છે.દેશમાં છેલ્લા ચાર જાન્યુઆરીએ કોરોનાના સંક્રમણના 37000 કેસ સામે આવ્યા હતા અને એ પછી ઓમિક્રોન વેરિએન્ટના કારણે સંક્રમિતોનો આંકડો વધવા માંડયો હતો.
જોકે કોરોનાની ત્રીજી લહેરનુ જોર ઓછુ થઈ રહ્યુ હોવાના સંકેતો મળી રહ્યા છે.કારણકે છેલ્લા એક સપ્તાહથી રોજ એક લાખ કરતા ઓછા કેસ સામે આવી રહ્યા છે.