મુંબઈ : ભારતીય મજૂરો બાદ હવે સોનુ સૂદ કીર્ગીસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવામાં વ્યસ્ત છે. તેમણે આ મિશન સ્પાઇસ જેટ એરલાઇન્સના સહયોગથી શરૂ કર્યું છે. આમાં 9 ચાર્ટર્ડ વિમાનો દ્વારા તેઓ કિર્ગિઝ્સ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પાછા લાવી રહ્યા છે. સોનુ અને સ્પાઇસ જેટ મળીને લગભગ 2500 વિદ્યાર્થીઓને 10 દિવસમાં પાછા લાવશે. તેમાંથી 23 જુલાઈએ 135 વિદ્યાર્થીઓ ભારત પહોંચ્યા છે.
હવે સોનુ સૂદે ટ્વીટ કર્યું છે કે આજે તેનું બીજું વિમાન ઉડાન ભરી રહ્યું છે. આ વિમાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઉતરશે. આ વિશે ટ્વિટ કરીને સોનુ સૂદે કહ્યું- સારા સમાચાર છે, આજે કિર્ગિસ્તાનથી વિઝાગ (વિશાખાપટ્ટનમ) જશે. સમયસર એરપોર્ટ પર પહોંચો. તમારા પરિવારજનોને મળવાનો સમય આવી ગયો છે. આ સિવાય તેમણે વિદ્યાર્થીઓનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ ભારત પાછા ફરવા માટે ખૂબ ઉત્સાહિત છે.
Good news friends💫Flight from Kyrgyzstan to Vizag will takeoff at 3 pm today, 24th July from Bishkek..be at the airport on time time folks. Time to meet your families❣️@flyspicejet
— sonu sood (@SonuSood) July 24, 2020
So happy to see you all excited on coming to India. Have a safe journey. Also please share the details of the students of Jharkhand. Will get them back too ❤️🙏 #missionkyrgysztan https://t.co/Y2cUtbDuFP
— sonu sood (@SonuSood) July 24, 2020