મુંબઈ : ચાહકો અને સેલેબ્સ સતત સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. અભિનેતાના મૃત્યુના એક મહિના પછી, ચાહકો પોલીસ તપાસથી સંતુષ્ટ નથી અને સીબીઆઈ તપાસ માટે દબાણ કરી રહ્યા છે. હવે નિર્ભયાની વકીલ સીમા સમૃદ્ધિએ પણ ટ્વિટ કરીને સુશાંત સુસાઇડ કેસમાં સીબીઆઈ તપાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે.
સીમા સમૃદ્ધિએ ટ્વિટ કર્યું- ‘માનનીય વડાપ્રધાન, દરેક ભારતીયને સુશાંત સિંહના મૃત્યુનું સત્ય જાણવાનો અધિકાર છે. પરંતુ એક મહિના કરતા વધુ સમય વીતી ગયા હોવા છતાં પણ મુંબઈ પોલીસ સત્ય બહાર લાવવામાં નિષ્ફળ રહી છે. સૌના મનપસંદ હીરોનો કેસ સીબીઆઈને આપવા વિનંતી. જોકે સીમાનું આ ટ્વિટર એકાઉન્ટ બ્લુ ટિક (વેરિફાઇડ) નથી, પરંતુ તેના અન્ય ટ્વિટ્સને જોતા ખબર પડે છે કે તેણે આ ટ્વિટર હેન્ડલને વેરિફિકેશન કરવા વિનંતી કરી હતી. નોંધનીય છે કે, સીમા સમૃદ્ધિએ નિર્ભયા કેસ સંભાળ્યો હતો. આખરે તેને 7 વર્ષની લડત બાદ નિર્ભયાને ન્યાય અપાવ્યો હતો.
https://twitter.com/Seemasamridhi/status/1284027842968223744