સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 25મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. અા ફિલ્મ ઘણા સમયથી વિવાદમાં ફરાઈ છે. તેની વાર્તા, સ્ટાર કાસ્ટ, કોસ્ચ્યુમ અને વિવાદ વિશે ઘણી ચર્ચાઓ ચાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અેક સોંગમાં દીપિકાએ જે કપડા પહેર્યાં છે તે કપડાં લગભગ 20 કિલોનાં છે.ફિલ્મ પદ્માવતમાં ઉપયોગમાં લેવાતા ઘરેણાં બનાવવા માટે આશરે 400 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.વર્તમાન ભાવ મુજબ 400 કિગ્રા સોનાનું મૂલ્ય આશરે 11 કરોડ 79 લાખ અાંકવામાં અાવે છે.આ માહિતી ફિલ્મના જ્વેલરી ડિઝાઇનર કવિતા રાવતે આપી હતી. કવિતા રાવત તનિશ્કના ડિઝાઇન મેનેજર છે. એક વીડિઓમાં તેમણે કહ્યું હતું કે પદ્માવત માટે કેવી રીતે શાહી જ્વેલરી તૈયાર કરવામાં આવી હતી.કવિતાએ કહ્યું કે આ વાર્તા 13 મ અને 14 મી સદીની છે અાથી ઘરેણાંઓ પણ એવાજ બનાવાયા છે. તે સમયની રાણીઓએ ઘરેણાં કેવા પહેર્યા હતા તેનો કોઈ રેકોર્ડ ન હતો.કોઈ સંદર્ભ પુસ્તક ન હતું, જેથી અમે માહિતી મેળવી શકીએ. માહિતી એકત્ર કરવા માટે, કવિતાની ટીમ દેશભરમાં પ્રવાસ કરતી રહી, તેમણે ઘણા મ્યુઝિયમોની મુલાકાત લીધી.
કવિતા કહે છે કે અમે ઘરેણાં બનાવવા માટે ઘણાં સંશોધન કર્યા ઘણા રાજા-મહારાજાઓના ઘરેણાંઓના પુસ્તકો વાંચ્યા.અમે ઘણા ઇતિહાસકારોને પૂછ્યું કે તે સમયની રાણીઓએ કેવા ઘરેણાં પહેર્યા હતા.
રાણી પદ્મિનીના ઘરેણાં બનાવવાનું કેટલું મુશ્કેલ હતું તે જાણવા માટે એટલું કાફી છે કે અા મુશ્કેલ કામ પાર પાડવા 200 કારીગરોએ તેને બનાવવા માટે 600 દિવસ માટે કામ કર્યું હતું.અાટલા લોકોની મહેનતના પરિણામે ફિલ્મ પદ્માવતના ભવ્ય અને જાજરમાન અાભુષણો તૈયાર કર્યા છે.400 કિલો સોનાને ડાયમન્ડથી મઢવામાં અાવ્યા છે. કુન્દન અને મીનાકારી વર્કમાટે દરેક પીસ માટે 5 કારીગરો કામે લાગ્યા હતા.રાજપૂતાના સંસ્કૃતિમાં મોર, ઘોડાઓ, હાથીઓની ડિઝાઈન દાગીના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું
દીપિકાના માત્ર ઘરેણાં જ ભારે નહોતા, પણ તેના કોસ્ચ્યુમનું વજન પણ ખૂબ જ હતું.વાસ્તવમાં, કપડા પર જે વર્ક કરવામાં અાવ્યું છે તેનાથી તેનો વજન ખુબજ વધી ગયો હતો અામ છતાં દીપિકાએ સતત અા ભારે કપડા પહેરી ફિલ્મનું શુટિંગ કર્યુ હતુ.