મુંબઈ : જાણીતા ગાયક અભિજિત ભટ્ટાચાર્યના પુત્ર ધ્રુવ ભટ્ટાચાર્યને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ધ્રુવ 28 વર્ષનો છે અને એક રેસ્ટોરન્ટ ચલાવે છે.
આ સમાચારની પુષ્ટિ કરવા માટે, જ્યારે મીડિયાએ અભિજીત ભટ્ટાચાર્યને પૂછ્યું, ત્યારે તેઓએ કોલકાતાથી હસતા હસતા કહ્યું, “આ વાત સાચી છે, પરંતુ ગભરાવા જેવું કંઈ નથી. મારા પુત્ર ધ્રુવને કોરોનાના લક્ષણો નહોતા અને તે અત્યારે બરાબર છે અને ઘરે છે. ”
અભિજિત ભટ્ટાચાર્યએ કહ્યું, “મારો દીકરો ધ્રુવ રેસ્ટોરન્ટ ચલાવે છે અને થોડા દિવસો પહેલા તે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જવાનું વિચારી રહ્યો હતો. ટૂર પર જતાં પહેલાં તેણે પોતાનો કોરોના ટેસ્ટ કર્યો અને ખબર પડી કે તેને કોરોના છે.”