પાછલા વર્ષોમાં પ્લાસ્ટિક સર્જરીનું ચલણ ઘણું વધી ગયું છે. સુંદર અને સંપૂર્ણ દેખાવાની સ્પર્ધામાં, સુંદરીઓ ઘણીવાર સર્જરીનો આશરો લે છે. ઘણી સર્જરીઓમાં મૃત્યુનું જોખમ પણ છે અને કન્નડ અભિનેત્રી ચેતના રાજ પણ આવા જ જોખમનો શિકાર બની છે. હા, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લાસ્ટિક સર્જરી દરમિયાન થયેલી ભૂલને કારણે તેનું મોત થયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે કન્નડ અભિનેત્રી ચેતના રાજને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સર્જરી પછી અભિનેત્રીને કંઈ સારું લાગતું ન હતું. સાંજ સુધીમાં તેની તબિયત બગડવા લાગી અને તેના ફેફસામાં પાણી ભરાવા લાગ્યું. કન્નડ ટીવી અભિનેત્રી લાંબા સમય સુધી પીડા સહન ન કરી શકી અને 21 વર્ષની વયે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચેતના રાજે સર્જરી વિશે તેના માતા-પિતાને જાણ કરી ન હતી અને તે તેના મિત્રો સાથે હોસ્પિટલ ગઈ હતી. હવે ચેતનાના માતા-પિતા ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. અભિનેત્રીના માતા-પિતાનું કહેવું છે કે ડોક્ટરની ભૂલને કારણે તેમની પુત્રીનું અકાળે મોત થયું છે. ચેતનાના પરિવારજનોએ હોસ્પિટલ કમિટી વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તમને જણાવી દઈએ કે ચેતના રાજ કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે ફેમસ સિરિયલ ‘ગીતા’ અને ‘દોરેસાની’ જેવી ડેઈલી સોપ્સમાં સારું કામ કર્યું હતું. ચેતનાએ અચાનક આ દુનિયા છોડી દેતા તેના પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. ચેતનાના નિધનના સમાચારથી દરેક જણ દુખી છે અને એ પણ દુઃખની વાત છે કે સર્જરી દ્વારા વજન ઘટાડવાની પ્રક્રિયામાં એક યુવા અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો.