મુંબઈ : બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલના લગ્ન મંદિરમાં થયાં. કોરોનાને કારણે, લગ્નમાં ફક્ત 50 લોકો જ હાજર થયા હતા. આ બંનેના લગ્નની વિધિના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યા છે. બંને ઘણાં દિવસોથી તેમના લગ્નને કારણે હેડલાઇન્સમાં છે અને તાજેતરમાં જ બંનેના લગ્નના ફોટા સામે આવ્યા હતા.જેમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
દરમિયાન, ઉદિત નારાયણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, મારા પુત્રના લગ્ન મંદિરમાં થયા છે. જેમાં ફક્ત નજીકના લોકો જ જોડાયા છે અને લગ્ન બાદ રિસેપ્શન પણ રાખવામાં આવશે. મેં ઘણા લોકોને રિસેપ્શન માટે આમંત્રણ કાર્ડ આપ્યું છે
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહાજી, ધર્મેન્દ્રજી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિતનાં નામ શામેલ છે, કોવિડને કારણે, મને ખબર નથી કે કોણ આવશે અને કોણ નહીં આવે.
આપને જણાવી દઈએ કે, આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરંતુ બંને છેલ્લા 12 વર્ષથી એકબીજાને ઓળખે છે. આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલ તેમના ચાહકો સાથે જોડાવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે. તાજેતરમાં જ આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ જોઈને, તેમના ચાહકો સતત ટિપ્પણી કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે.