અક્ષય કુમારે ગુટખા કંપની વિમલની જાહેરાત માટે ચાહકોની માફી માંગી છે અને આ જાહેરાતમાંથી ખસી જવાનો નિર્ણય પણ લીધો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. હાલમાં જ અક્ષય કુમાર આ એડમાં અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે જોવા મળ્યો હતો. ત્યારથી અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમારના મોટી સંખ્યામાં ચાહકો આ બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આ નારાજગીને દૂર કરવા માટે અક્ષય કુમારે આ મોટો નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં અક્ષય કુમારે લખ્યું કે મને માફ કરશો, તે તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગે છે. અક્ષયે વધુમાં કહ્યું કે છેલ્લા દિવસોમાં મળેલી તમારી પ્રતિક્રિયાઓની મારા પર ઊંડી અસર પડી છે. હું તમાકુનું સમર્થન કરતો નથી અને ક્યારેય કરીશ પણ નહીં, વિમલ ઈલાઈચી એડ સાથેના મારા જોડાણ પર તમારી લાગણીઓને માન આપીને હું આ જાહેરાતમાંથી ખસી રહ્યો છું. ઉપરાંત, મેં નક્કી કર્યું છે કે આ જાહેરાતમાંથી હું જે પણ કમાણી કરું છું, તે હું યોગ્ય જગ્યાએ દાન કરીશ.
View this post on Instagram
અક્ષય કુમારે વધુમાં કહ્યું કે કાનૂની કરાર હોવાને કારણે બ્રાન્ડ તેની જાહેરાત ચલાવી શકે છે, પરંતુ હું ભવિષ્યમાં આ બધી બાબતોની પસંદગીમાં ખૂબ કાળજી રાખીશ. તમે નીચેની Instagram લિંક પર ક્લિક કરીને મૂળ પોસ્ટ વાંચી શકો છો.