સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતને લઇને સમગ્ર રાષ્ટ્રવ્યાપી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તેમની સાથે રીલીજ થતી અક્ષય કુમારની ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરશે. પૅડમેન 25 જાન્યુઆરીએ પદ્માવત સાથે રિલીઝ થઈ રહી હતી. ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર અક્ષય કુમાર થોડા સમયમાંજ પોતાના ઘરે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. પ્રેસ કોન્ફ્રરન્સમાં પદ્માવતની ટીમ પણ હાજર રહી હતી.
અક્ષય કુમારે કહ્યુ કે અમારી ફિલ્મ સીમ્પલ, સ્વીટ અને ઓનેસ્ટ છે હું ખુશ છું કે પદ્માવત ફિલ્મ રિલીઝ થઈ રહી છે. પદ્માવત ફિલ્મ પર સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી પણ ઉગ્ર આંદોલન થઇ રહ્યા છે. ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ જ ફિલ્મનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય પર સંજીવ સિંહે પ્રશ્ન ઉઠાવ્યો કે ખિલજીને ચિંતૌડ જીતવામાં 6 મહિના લાગ્યાં અનેે 6 દિવસમાં સુપ્રીમ કોર્ટ કેવી રીતે ચુકાદો સંભળાવી શકે છે.