સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય લીલા ભંસલાની ફિલ્મને લઇને એક મોટો નિર્ણય લીધો છે. કોર્ટે બેન ને લગતી બધી અરજીઓ ફગાવી દીધી છે. રાજ્ય સરકારે કાયદાનું વ્યવસ્થાપન કરવુ પડશે. સર્વોચ્ચ અદાલતના આદેશ આપ્યા બાદ હવે 25મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં આ ફિલ્મ રીલીઝ થશે.
તુષાર મેહતાએ સોમવારે સુનાવણી થયા પછી તેમણે કોર્ટને અપીલ કરી હતી કે તેમને કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ફિલ્મ ઉપર બેન લાદવો જોઇએ. તેમણે કહ્યુ કે કેટલાક ગ્રુપમાં હિંસા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અદાલત દ્રારા કહેવામાં આવ્યુ કે રાજ્ય સરકાર પોતાની ફરજ પુરી પાડશે. અને આ વિનંતી નકારવામાં આવશે.