મુંબઈ : સુધા મૂર્તિએ અમિતાભ બચ્ચનના લોકપ્રિય ટીવી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 11 ના અંતિમ કર્મવીર એપિસોડના સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. શોના આ અંતિમ એપિસોડનો ભાગ બનનારી સુધા મૂર્તિએ 60,000 પુસ્તકાલયો, ઘણી શાળાઓ, 16,000 થી વધુ શૌચાલયો બનાવ્યા છે. સુધાના આગમન પછી, અમિતાભ બચ્ચને તેમના પગને સ્પર્શ કર્યો અને તેમના આશીર્વાદ લીધા. સુધાએ આ શો પરની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તેણે જેઆરડી ટાટા પાસે નોકરી માંગી હતી પરંતુ બાદમાં તેણે ત્યાં નોકરી છોડી દીધી હતી.
સુધાએ જણાવ્યું હતું કે, ટેલ્કો (TELCO)માં નોકરી મેળવવા માટે તેને સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે જેઆરડી ટાટા પાસે નોકરી માંગી હતી. સુધાએ ત્યાં પણ નોકરી કરી, પણ અચાનક જ તેણીએ નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે ટાટા તેમના નિર્ણયથી ઘણા આશ્ચર્ય પામ્યા હતા. જે છોકરીએ નોકરી મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, તેનું આ રીતે નોકરી છોડી જવું એ તેમને આશ્ચર્ય પમાડે તેવું હતું.
જ્યારે સુધાએ આ નોકરી છોડવાનું કારણ જણાવતા કહ્યું, તે પતિ સાથે ઈન્ફોસિસ બનાવવા જઈ રહી છે ત્યારે જે.આર.ડી. ટાટાએ તેમને કહ્યું હતું કે – જો તમે વધુ પૈસા કમાવો છો તો તમારે આ પૈસા પરત કરવા પણ આવવું જોઈએ. છેવટે, તમને આ સમાજમાંથી જ આટલો પ્રેમ અને આદર મળશે.
સુધા મૂર્તિએ કેબીસીમાં તેમના જીવનની રમૂજી વાતો પણ જણાવી હતી. જેમાં સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, તેમને મૂવી જોવાનો પણ શોખ છે. સુધાએ કહ્યું કે, તે માત્ર ફિલ્મ જ જુએ છે એટલું જ નહીં, પરંતુ તેના દિગ્દર્શન, સંપાદન જેવી બાબતો પર પણ ધ્યાન આપે છે. વળી, સુધાએ કહ્યું કે, તેણે એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 365 ફિલ્મો જોઈ. સુધા કહે છે કે, તેણે એટલી બધી ફિલ્મો જોઈ છે કે તે એક ફિલ્મ પત્રકાર તરીકે પણ સ્થાપિત થઈ શકે છે.