મુંબઈ : અમિતાભ બચ્ચનને સદીના મહાન હીરો કહેવામાં આવે છે. અમિતાભને બોલીવુડમાં આટલી સફળતા મળી છે, ભાગ્યે જ કોઈ સ્ટારે જોઈ હશે. છેલ્લા 50 દાયકાથી અમિતાભ બચ્ચનના ખૂબ ચાહકો છે. જો કે, બચ્ચન સાહેબનું માનીએ તો, તેમને પ્રખ્યાત હોવાનો શોખ નથી. અમિતાભે તેના નવા ટ્વીટમાં પણ આવું જ કહ્યું છે.
ચાહકો સાથે મીટિંગના કેટલાક ફોટા પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, ‘હું પ્રખ્યાત હોવાનો શોખીન નથી, તમે મને ઓળખો છો એટલું જ પૂરતું છે ~ એચઆરબી.’ આ પંક્તિઓ અમિતાભના પિતા હરિવંશ રાય બચ્ચને લખી છે. અમિતાભ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પિતા દ્વારા લખાયેલી કવિતાઓ લેખિતમાં સ્ટ કરે છે કે પઠન કરી સંભળાવે છે. આ વખતે પણ તેણે સોશિયલ મીડિયા પર તેના પિતા દ્વારા લખેલી વસ્તુઓનું પુનરાવર્તન કર્યું છે.
T 3568 -' मशहूर होने का शौक़ नहीं मुझे ; आप मुझे पहचानते हैं बस इतना काफ़ी है ' ~ HRB pic.twitter.com/j9syA1EiNT
— Amitabh Bachchan (@SrBachchan) June 19, 2020