મુંબઈઃ બોલિવૂડ જગતમાં અનેક કપલોની ચર્ચાઓ જગજાહેર થઈ રહી છે. ત્યારે હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હવે બંનેના લગ્નની ચાહકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે બંનેના લગ્ન અંગે એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી. જ્યોતિષી, ફેસ રીડર અને ભવિષ્યવાણી કર્તા પંડિત જગન્નાથ ગુરુજીએ આલિયા અને રણબીર કપૂરના લગ્નની ભવિષ્યવાણી કરી હતી.
એક ન્યૂઝ પોર્ટન મુજબ, જો રણબીરનાં પિતા રિશી કપૂરનું આકસ્મિક નિધન અને માહામારીની સ્થિતિ ન હોત તો બંનેએ લગ્ન કરી લીધા હોત. જોકે, ફેન્સો જરાં પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે. બંનેનાં ફેસ રિડિંગ આધારે પંડિત જગ્ન્નાથ ગુરુજીનું કહેવું છે કે, બંને વર્ષ 2022માં લગ્ન કરી લેશે.
એટલું જ નહીં તેમનાં ફેસ રિડિંગ અને જ્યતિષીની ગણના મુજબ, રણબીર અને આલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પાવર કપલમાંથી એક છે. જેમની જોડી ખાસ હશે. ઠીક તેમ જ જેમ નરગિસ અને સુનીલ દત્ત. આપને જણાવી દઇએ કે, લાંબા સમયથી આ કપલનાં લગ્ન અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. મહામારી પહેલાંની રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું હતું કે, તેઓનાં લગ્નની યોજનાડિસેમ્બર 2020માં હતી. પણ કેટલાંક કારણોને કારણે તે પૂર્ણ થઇ ન હતી.
જોકે, આ કપલે લગ્ન પહેલાં જ પાલીમાં નવું ઘર લઇ લીધુ છે. લગ્ન બાદ તેઓ ત્યાં રહેશે તેવી વાતો છે. આ ફ્લેટમાં રણબીરે આલિયાની પસંદનું ઇન્ટીરિયર કરાવ્યું છે. ત્યારે આ બંનેની ફિલ્મ ‘બ્રહ્મસ્ત્ર’ પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણબીર શિવનાં રૂપમાં નજર આવશે. જે સામાન્ય માણસ છે પણ તેની પાસે મહાશક્તિઓ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કિનેની છે. બ્રહ્માસ્ત્રનું નિર્દેશન અયાન મુખર્જી કરે છે.