મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. તે કહે છે કે તે ખેડૂત સાથે છે અને તેની માંગ પૂરી કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ખરેખર, આજે સરકાર અને ખેડુતો વચ્ચે 8 મી બેઠક છે. આ બેઠકથી ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે. આ સાથે જ સરકાર ખેડૂત આંદોલન સમાપ્ત થાય તેવી પણ આશા વ્યક્ત કરી રહી છે.
આ દરમિયાન બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વિટ કરીને ખેડૂતોને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “આજે મારા ખેડૂત ભાઈઓને ન્યાય મળે. હું મારા જી જાનથી પ્રાર્થના કરું છું. દરેક ઉમદા આત્માને રાહત મળશે ..” આની સાથે તેમણે કિસાન આંદોલન દરમિયાનની એક તસવીર પણ શેર કરી છે.
ખેડુતો માટે પ્રાર્થના
ધર્મેન્દ્રએ અગાઉ એક ટ્વિટમાં પણ ખેડૂતો પ્રત્યે પોતાનો ટેકો બતાવ્યો હતો. તેમણે 11 ડિસેમ્બરે કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, “મારા ખેડૂત ભાઈઓને આ પીડામાં જોઈને ખૂબ જ દુઃખી છું. સરકારે ખૂબ જલ્દી જ કંઇક કરવું જોઈએ.” ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રના મોટા પુત્ર સન્ની દેઓલ ગુરુદાસ પુરના ભાજપના સાંસદ છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને સરકાર તરફથી ન્યાય મળવો જોઈએ.
અહીં ધર્મેન્દ્રની ટ્વિટ જુઓ
I am extremely in pain to see the suffering of my farmer brothers . Government should do something fast . pic.twitter.com/WtaxdTZRg7
— Dharmendra Deol (@aapkadharam) December 11, 2020