મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે કર્ણાટકના તુમકુરની કોર્ટમાં ગુનાહિત કેસ દાખલ કરાયો છે. કંગના સામે ખેડૂતોના અપમાનનો આરોપ લગાવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફાઇલ કરેલા કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે કંગનાએ ટ્વિટ કરીને કૃષિ બિલનો વિરોધ કરતા ખેડૂતોનું અપમાન કર્યું છે.
હકીકતમાં, કૃષિ બિલ અંગે કંગના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી રહ્યું હતું કે તેઓએ ખેડૂતોનું અપમાન કર્યું છે. આ ટ્વીટને લઈને ખેડુતોએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે, ખુલાસો આપ્યા બાદ કંગનાએ કહ્યું કે તેમણે ખેડૂતોનું અપમાન કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનો દેશભરમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ કૃષિ બીલો સામે 25 સપ્ટેમ્બરના રોજ ખેડુતો અને રાજકીય સંગઠનોએ ભારત બંધ રાખ્યું હતું. ખેડુતોના ભારત બંધની મિશ્ર અસર જોવા મળી હતી.