મુંબઈ : વાવાઝોડું ફોનીથી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ થયો છે. વૈજ્ઞાનિકો અને સરકારની તકેદારીના ભાગરૂપે આ વખતે આવેલા આ ફોની (Foni) વાવાઝોડામાં વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાયા છે, પરંતુ લોકોના ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો માટે ફરીથી જીવન નિર્વાહ શરુ કરવું મુશ્કેલ બની ગયું છે. એવામાં અભિનેતા અક્ષય કુમાર તેમના માટે એક મદદ લઈને સામે આવ્યા છે. અક્ષય કુમારે ફોની વાવાઝોડામાં મૃતકોના પરિવારજનોની મદદ માટે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. અક્ષય કુમારે આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરી છે. આ સાથે જ તેમણે દેશના છે કે, જે જેટલી બને એટલી આ મદદ કરે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે, જેને લઈને તેઓ મતદાન કરી શક્યા ન હતા અને બાદમાં ભારતમાં તેની નાગરિકતાને લઈને વિવિધ સવાલો કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં અક્ષયે અગાઉ કહ્યું હતું કે, “હું દેશ પ્રત્યે વફાદાર છું ટેક્સ પણ આ દેશમાં જ ચૂકવું છું. હું છેલ્લા 7 વર્ષથી કેનેડા ગયો નથી.” હવે ઓરિસ્સાવાસી અસરગ્રસ્તો માટે મદદ કરવા આગળ આવીને અક્ષયે તેના પર સવાલ ઉઠાવનાર દરેકની બોલતી બંધ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દલાઈ લામા પણ મદદ કરવા આગળ આવ્યા
તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામા ચીફ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર વાવાઝોડા ફોનીથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. રાજ્યમાં વાવાઝોડાની ઝપેટમાં આવીને અત્યાર સુધી 35 લોકોના મોત નિપજ્યા છે.
દલાઈ લામા ઓફિસથી પટનાયકને લખવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ઓરિસ્સાના લોકો સાથે એકતા દેખાડતા હું ‘દલાઈ લામા ટ્રસ્ટ’માંથી રાહત તેમજ પુનઃનિર્માણ માટે 1000000 રૂપિયા દાન આપું છું.’ તેમણે વાવાઝોડાનો સારી રીતે સામનો કરવા બાદલ ઓરિસ્સા સરકારની પ્રશંસા કરી તેમજ મૃત્યુ પામેલા લોકો માટે અને થયેલા વ્યાપક નુકસાન માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.