લાંબા સમય સુધી વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ પદ્માવત રિલિઝ માટે તૈયાર છે.સુપ્રિમકોર્ટે ફિલ્મ પરના પ્રતિબંધની તમામ અરજીઓ ફગાવી છે અામ કાયદાકિય અાંટી-ઘુંટીંમાંથી ફિલ્મ બહાર અાવી ગઈ છે તેવુ હાલ પુરતુ તો લાગી રહ્યુ છે. હવે આ ફિલ્મમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે રાણી પદ્માવતીની ભૂમિકા નિભાવનાર દીપિકા પાદુકોણે વિધ્નહર્તા વિનાયકનું શરણુ લીધુ છે.
દીપિકાએ ગણપતિના દરબારમાં માથુ ટેકવી અને તેની આગામી ફિલ્મના રિલિઝ સાથે સંકળાયેલા બધા વિઘ્નો દૂર કરવા માટે પ્રાર્થના કરી હતી. કહેવાય છે કે ગણપતિ દાદા તમામ વિધ્નો દુર કરનાર છે. ફિલ્મ પર દીપિકાએ ખુબ જ મહેનત કરી છે.
રાજપુત કરણી સેના દ્વારા ફિલ્મનો સતત વિરોધ થઇ રહ્યો છે. કરણી સેનાના મહિપાલ સિંહ મકરાણાએ તો દીપિકાનું નાક વાઢી લેવાની ધમકી અાપી હતી.દીપિકા પર ફિલ્માવવામાં અાવેલ ઘુમ્મર ગીત પર કરણી સેનાએ વિરોધ કર્યા હતો. આમાં સેન્સરે રાજપુતોની લાગણીઓને ધ્યાનમાં રાખીને ગીતમાં મૉડિફિકેશન કરાવ્યુ હતુ. ફરીથી ગીતને ફિલ્માવવામાં અાવ્યુ છે.