મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘીની ફિલ્મ ‘દિલ બેચારા’નું નવું ગીત ‘ખુલ કે જીને કા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સુશાંત અને સંજનાની સુંદર કેમિસ્ટ્રી ગીતના શબ્દોની જેમ જ જીવન જીવવાની રીત તરીકે જોવા મળે છે. ફિલ્મના ડાયરેક્ટર અને સુશાંતના મિત્ર મુકેશ છાબરાએ ગીતનાં શબ્દો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
આ ગીતને અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ ગીત અરિજિત સિંહ અને શાશા ત્રિપાઠીએ ગાયું છે, જ્યારે અમિતાભ ભટ્ટાચાર્યએ શબ્દો લખ્યા છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન દ્વારા આપવામાં આવ્યું છે. ગીતનો વીડિયો શેર કરતી વખતે, મુકેશ છાબરાએ લખ્યું – “મેન્નીએ કીઝીના ના કહેવામાં આવેલા કામને કરવામાં આવનાર કામમાં બદલી નાખ્યું અને તેના સપનાને પ્લાન્ટ્સમાં ફેરવી દીધા છે. પેરિસમાં તેના જાદુઈ બોન્ડને જુઓ.”