સુશાંત સિંહ રાજપુત અને દિશા સાલિયાનને લઈ દરરોજ નવા નવા ખુલાસાઓ થતા રહેતા હોય છે. દિશા સાલિયાનનું મૃત્યુ ૨૦ જૂન ૨૦૨૦માં રાત્રે બિલ્ડિંગની ૧૪માં માળેથી નીચે પટકાય થયું હતુ. તે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુના ૫ દિવસ બાદ થયું હતુ. દિશા અને સુશાંતના કનેકશનને લઈને અંકિતા લોખંડે બિગ બોસમાં મોટો ખુલાસો કર્યેા છે. ટીવીની મશહત્પર અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિક્કી જૈન હાલમાં કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ ૧૭ને લઈને ચર્ચામાં છે. હાલમાં શોમાં અંકિતા લોખંડે હંમેશા તેના એકસ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતને યાદ કરતી જોવા મળતી હોય છે. હાલમાં બિગ બોસના ગાર્ડન એરિયામાં બેસી અંકિતાએ મુનવ્વર ફાકી સામે સુશાંત સિંહ રાજપુતની સાથે દિશા સાલિયાન વિશે પણ વાત થઈ હતી. આ વાતચીત દરમિયાન અંકિતાએ દિશાને લઈને એક મોટો ખુલાસો કર્યેા છે. તેમણે કહ્યું કે, તે સુશાંતની મેનેજર ન હતી.
અંકિતાએ મુનવ્વરને કહ્યું કે તે (દિશા) સુશંતની મેનેજર નહોતી. તેણે તેને પાંચ–છ દિવસ અથવા બે અઠવાડિયા માટે મેનેજ કર્યેા હતો. પરંતુ તે મેનેજર ન હતી. ઘણી બધી ખીચડી જેવી વાતો કરવામાં આવી હતી અંકિતાની વાત સાંભળીને મુનવ્વરે કહ્યું કે આવું જ થાય છે. લોકો લિંકસ ઉમેરે છે. લોકો ઇન્ટરનેટ પર ડિટેકટીવ બની જાય છે અને પોતે જ લિંકસ ઉમેરવાનું શ કરે છે. અંકિતાના મોઢામાંથી નીકળેલું આ નિવેદન મોટું છે કારણ કે અત્યાર સુધી લોકો દિશાને સુશાંતની મેનેજર માનતા હતા.આ દરમિયાન અંકિતાએ એ પણ કહ્યું કે, ૨૬ ફ્રેબુઆરી ૨૦૧૬ના રોજ સુશાંત સિંહ રાજપુતથી અલગ થઈ હતી. બંન્ને પવિત્ર રિશ્તાના સેટ પર પર પહેલી વખત મળ્યા હતા અને શૂટિંગ શ થતાં પહેલા એક મહિનાએ એકબીજાને ડેટ કરવાનું શ કયુ હતુ. બંન્નેનો સંબધં ૭ વર્ષ સુધી ચાલ્યો હતો.