મુંબઈઃ કોરોના વાયરસની બીજી લહેર દેશના લોકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં લોકો સરકારને પણ દોષી ઠેરવી રહ્યા છે. ત્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ પ્રતિક્રિયા આપી છે. દિલીપ જોશીએ લોકોને અપીલ કરી છે કે, મહામારીનાં વધતા પ્રકોપ માટે સરકારને દોષ આપવા કરતાં તે લોકડાઉનનાં નિયમોનું યોગ્ય રીતે પાલન કરે. તેણે કહ્યું કે, લોકોનું જીવન ઘણું જરૂરી છે અને તેમને વિશ્વાસ છે કે, જલ્દી જ આ મહામારી ખતમ થશે.
દિલીપ જોશીએ કહ્યું કે, લોકોને કોરોના લોકડાઉનનાં નિયમ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને પબ્લિક ગેધરિંગથી દૂર રહે. માસ્ક પહેરે અને મહામારીથી બચવા માટે દરેક જરૂરી ઉપાય અપનાવે. વગર કારણે અહીં તહીં જવાનું રોકે. તેમણે કહ્યું કે, ‘લોકોએ ખુદ તેમની જવાબદારી સમજવી જોઇએ. અને તેનું સખતાઇથી પાલન કરવું જોઇએ. તમામને આપસી સહયોગનાં સંબંધ પણ બનાવી રાખવા જોઇએ.’
તેમણે કહ્યું કે, ‘સરકારને દોષ આપવાથી કંઇ જ નહીં થાય. આપણે કડકાઇથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ. માસ્ક પહેરવું જોઇએ અને વેક્સીનેશન કરાવવું પડશે.’ આ સાથે જ તેમમે કહ્યું કે, લોકોએ સ્ટીમ લેવી અને તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. દિલીપ જોશી મુજબ, કોરોના કેસ ઓછા થવા પર લોકોએ બેદરકાર ન થવું જોઇએ. જ્યાં સુધી મહામારી પૂર્ણ નથી થતી ત્યાં સુધી ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.
આપને જણાવી દઇએ કે, કોરોનાનાં દરરોજ લાખો કેસ સામે આવે છે. તે મહામારીમાં મરનારાઓની સંક્યા પર દરરોજ વધી રહી છે. એવામાં લોકોમાં ટેનશન વધતું જઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો સતત મહામારીનાં પ્રકોપ અંગે તેમનો અનુભવ શેર કરતાં રહે છે.