નવી દિલ્હી : ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની બાયોપિક ફિલ્મ ‘બાધીની’ ના ટ્રેલર પર પ્રતિબંધ લગાવ્યા બાદ ફિલ્મની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે ફિલ્મના નિર્માતાઓને કહ્યું છે કે, આચાર સંહિતા અમલ હોય ત્યાં સુધી આ ફિલ્મને રિલીઝ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 3 મેના રોજ રિલીઝ થવાની હતી.
હકીકતમાં બીજેપીએ ‘બાધીની’ ફિલ્મની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી એક અહેવાલ માંગ્યો હતો બીજેપીએ પત્રમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રચિત બાયૉપિકને પણ ચૂંટણી પંચ એ રીતે જ જુએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિકને જોઈ હતી.
ઉલ્લેખનીય છે કે, 10 એપ્રિલના રોજ રજૂ કરવામાં આવેલા તેના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, કોઇ પણ બાયોપિક ફિલ્મ જે કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય નેતાની પ્રશંસા કરતી હોય તે બાયોગ્રાફી અથવા હેજીયોગ્રાફીના રૂપમાં રિલીઝ કરવામાં ના આવે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને રિલીઝના એક દિવસ પહેલા પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સાથે જ પંચે આ નિર્દેશ જારી કર્યા હતા.
What is all this nonsense being spread! I have nothing at all to do with any biopic. If some young people have collected stories & expressed themselves, that’s up to them.Not related to us. I am not Narendra Modi.
Please do not compel me to file for defamation by spreading lies— Mamata Banerjee (@MamataOfficial) April 24, 2019
બાયોપિક પર બોલી મમતા
મમતા બેનરજીએ બાયોપિક સાથેના કોઈ પણ જોડાણને પહેલાથી જ રદ્દ કરી દીધું છે. છેલ્લા દિવસોમાં તેમણે ફિલ્મ પર વિવાદ બાદ ટ્વિટમાં જણાવ્યું હતું કે, “તે શું આ બધા નોનસેન્સ ફેલાય રહ્યા છે. મારે બાયોપિક સાથે કોઈ લેવાદેવા નથી. જો કેટલાક યુવાનો કોઈ માહિતી એકત્ર કરીને ફેલાવે છે તો તેનો ખાનગી મામલો છે. અમારી સાથે કોઈ કોઈ જોડાણ નથી, હું નરેન્દ્ર મોદી નથી, મહેરબાની કરીને મને જૂઠાણાં ફેલાવીને બદનક્ષીનો કેસ દાખલ કરવા દબાણ કરશો નહીં.”