મુંબઈ :છૂટાછેડાની ઘોષણા પછી, આમિર ખાન અને કિરણ રાવ પાની ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં એક સાથે આવ્યા હતા અને ઝૂમ કોલમાં જોડાઇને તેમના છૂટાછેડા અંગે પહેલી પ્રતિક્રિયા આપી હતી અને છૂટા હોવા છતાં પણ એકબીજાને ખુશ રહેવાની અને ટેકો આપવાની વાત કરી હતી. કિરણ અને આમિરના આ બાઇટ્સ કાર્યક્રમની શરૂઆતમાં છે. બંને કરગિલના આ પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે.
વીડિયોમાં આમિર ખાને કહ્યું કે, “તમે બધાએ ગઈકાલે મારા અને કિરણના છૂટાછેડા વિશે સાંભળ્યું હતું. કેટલાક લોકોને આ સાંભળીને ખરાબ લાગ્યું હશે. પરંતુ અમે હંમેશાં સાથે રહીશું. પાની ફાઉન્ડેશન દ્વારા અમે એકબીજા સાથે જોડાયેલા રહીશું.”
6
પાની ફાઉન્ડેશન અમારા બાળકની જેમ: આમિર
તેમણે કહ્યું, “જેમ આઝાદ અમારો પુત્ર છે, તેવી જ રીતે પાની ફાઉન્ડેશન પણ અમારા બાળક જેવું છે. અમે તેને મળીને ચલાવી રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું, “અમે અત્યારે અમારા શહેરની બહાર છીએ પરંતુ અમે અમારા કાર્યથી તમને હંમેશા ખુશ કરીશું.”
અમને આ સમયે તમારા પ્રેમ અને ટેકાની જરૂર છે: કિરણ
કિરણે કહ્યું કે આ સમયે અમને તમારા પ્રેમ અને સપોર્ટની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે તમે બધા અમારી સાથે રહો અને દરેક માર્ગનું અમારું સમર્થન કરો. તમારા પ્રેમ અને સમર્થનના કારણે જ અમે પાની ફાઉન્ડેશનને આગળ લઈ જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આમિર અને કિરણના ચાહકો પણ આ લાઇવ સેશન પર જોડાયેલા છે.