મુંબઈ : ખેડૂત આંદોલનને લઈને કંગના રનૌત અને દિલજીત દોસાંજ વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર ઝઘડો થયો હતો. આ બંનેના ઝઘડાએ એવું જોર પકડ્યું કે બધે ચર્ચા થઈ ગઈ. આ મામલો થોડા દિવસ શાંત રહ્યો પરંતુ કંગનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર દિલજીત દોસાંઝ સામે મોરચો ખોલ્યો છે.
ભૂતકાળમાં ખેડુતોના સમર્થનમાં દિલજીતની સાથે ટ્વીટ કરનારી પ્રિયંકા ચોપડા સામે પણ કંગનાએ આ વખતે નિશાન તાક્યું છે. કંગનાએ એક ન્યુઝ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો અને ટ્વિટર પર લખ્યું હતું કે, “હું @diljitdosanjh અને @priyankachopra જી, જેઓ ખેડૂતો માટે લોકલ ક્રાંતિકારી ભૂમિકામાં જોવા મળ્યા હતા, તેઓ ઓછામાં ઓછા એક વિડિઓ દ્વારા એ જણાવે કે તેમને વિરોધ કઈ બાબતનો કરવો છે. બંને ખેડૂતોને ઉશ્કેરીને ગાયબ થઇ ગયા છે. જુઓ ખેડુતોની અને આપણા દેશની આ સ્થિતિ છે.
मैं चाहती हूँ कि @diljitdosanjh और @priyankachopra जी जो किसानों केलिये लोकल क्रांतिकारियों की भूमिका में दिखे कम से कम एक विडीओ की माध्यम से किसानों को ये तो बताएँ की उनको विरोध किस बात का करना है,दोनों किसानों को भड़काकर ग़ायब हो गए हैं, और देखो किसानों की और देश की ये हालत है। https://t.co/k6G8YRVItQ
— Kangana Ranaut (@KanganaTeam) December 16, 2020
કંગના અહીં જ રોકાઈ નહોતી અને તેણે એક અન્ય ટ્વિટમાં લખ્યું છે કે, જ્યારે પ્રખ્યાત અને જાણીતા કલાકારો નિર્દોષોને ઉશ્કેરે છે, દેશમાં શાહીન બાગ જેવા દંગલ / ખેડૂત આંદોલનનું આયોજન કરે છે, તો પછી સરકારે તેમની વિરુદ્ધ કોઈ પગલા ભર્યા અથવા કેસ ન લેવો જોઇએ? જેઓ આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ખુલ્લેઆમ ભાગ લે છે તેમના માટે કોઈ સજા નથી ?
जब प्रसिद्ध और जाने माने कलाकार मासूमों को भड़काते हैं,देश में शाहीन बाग़ जैसे दंग्गे/किसान आंदोलन जैसे विरोध करवाते हैं तो क्या सरकार को उनके ख़िलाफ़ किसी तरह की करवाई या केस नहीं करना चाहिए?क्या इस तरह की देश विरोधी गतिविधियों में खुल कर हिस्सा लेने वालों केलिये कोई सजा नहीं?
— Kangana Ranaut (@KanganaTeam) December 16, 2020
Jab sab koi kuch bhi kar rahe hain, toh meri bhi kuch demands hai, mujhe bhi Bharat ke kiye hue saare tukde vapis chahiye, mujhe China se Kailash vapis chahiye, mujhe Ram Rajya vapis do, nahin toh main aur mere fans Delhi mein Farmers protests mein hissa lenge #FarmerBill2020
— Kangana Ranaut (@KanganaTeam) December 16, 2020
કંગનાના આટલા ટ્વીટ્સ વાંચ્યા પછી, દિલજીત દોસાંઝ મૌન બેસી રહ્યો નહીં અને તેણે રમૂજના ઈશારામાં કંગનાને જવાબ આપ્યો. દિલજીતે ટ્વિટર પર લખ્યું, “સાંભળો, પૂંછડી સીધી ન થઇ શકે.” પુષ્ટિ થઈ ગઈ… અન્ય એક ટ્વિટમાં તેણે લખ્યું કે, મને એક પંજાબી કહેવત યાદ આવી રહી છે, તુ કોણ હું ખામખાં.’
Suneya C..
Poonch Sidhi Ni Ho Sakdi..
Confirm Ho Geya Bai.. 😂
— DILJIT DOSANJH (@diljitdosanjh) December 16, 2020