મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુ બાદ બોલિવૂડ નિર્માતા કરણ જોહરને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર ઘણા વપરાશકર્તાઓ કરણ પર આરોપ લગાવી રહ્યા છે કે સુશાંત તેના કારણે નાખુશ હતો. આ સાથે કરણ જોહર અને બોલીવુડમાં થઇ રહેલા નેપોટિઝ્મને લઈને સોશિયલ મીડિયા પર વધુ અફવાઓ ઉડી રહી છે. આવી સ્થિતિમાં હવે સમાચાર છે કે કરણે ટ્વિટર પર ઘણા એકાઉન્ટ્સને અનફોલો કર્યા છે.
કરણ જોહરના ટ્વિટર પર નજર કરીએ તો હવે તે ફક્ત 8 એકાઉન્ટ્સ ફોલો કરી રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ્સ શામેલ છે. આ સિવાય તેઓ તેમના પ્રોડક્શન હાઉસ ધર્મના સત્તાવાર એકાઉન્ટ્સ અને ધર્માંના સીઈઓ અપૂર્વ મહેતાને ફોલો કરી રહ્યો છે.