કૌન બનેગા કરોડપતિ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે. તમે મંચ પર તો તેને હસતા ચહેરે જોવો છો. પરંતુ તેની અસલી ભડાસ એ લોકો શો છોડીને કાઢતા હોય છે. આ શોમાં આમ તો કોઈ સાથે ભેદભાવ નથી કરવામાં આવતો. દરેક માણસ પોતાના નસીબ પ્રમાણે રમે છે અને પૈસા જીતે છે. પરંતુ એક વાત ક્યારેય બહાર નથી આવી કે જેનો હાલમાં જ ખુલાસો થયો છે.
સનોજનું કહેવું છે કે હું હંમેશા કપડામાં કમ્ફર્ટને મહત્વ આપુ છું, પરંતુ શો માટે તૈયાર થતા સમયે ફિટિંગ, કલર વગેરે ધ્યાન રાખવામાં આવે છે. તે દરમિયાન કપડાની પસંદગી પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે, આ વાત મને ખૂંચી છે. તો સનોજે એ પણ કહ્યું કે તેણે શો માટે ક્યારેય અલગથી તૈયાર નથી કરી, કારણ કે તે સિવિલ સર્વિસિઝની તૈયારી કરી રહ્યા હતા, એટલે મને અલગથી તૈયારી કરવાની જરૂર નથી પડી.
બિહારના સનોજ રાજ કૌન બનેગા કરોડપતિ સિઝન 11ન પહેલા કરોડપતિ બની ચૂક્યા છે. ખેડૂત પુત્ર સનોજ સીઝનના પહેલા એવા કન્ટેસ્ટન્ટ છે, જે 1 કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપી ચૂક્યા છે. આ શોમાંથી પાછા ફર્યા બાદ સનોજ રાજે શો અંગે ઘણી વાત કરી હતી.
પૈસા જીત્યા બાદ સનોજે કહ્યું, ‘આ પૈસા મારા પપ્પાના છે. અમારા પરિવારની હાલતને કારણે તેઓ બરાબર નહોતા ભણી શક્યા. ફરી આવી સ્થિતિ ન આવે એટલા માટે અમે ભણવા પર ધ્યાન આપ્યું.’