મુંબઈ : દેશમાં લોકડાઉન હોવાથી સૌથી મોટી મુશ્કેલીનો સામનો મહાનગરોમાં રહેતા પરપ્રાંતીય મજૂરોની છે. લોકડાઉનને કારણે તેઓ તેમના ઘરે પણ પહોંચી શકતા નથી અને આવકના અભાવે તેમને બે વખત રોટલો પણ મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં અભિનેતા સોનુ સૂદ તેમના માટે એન્જલ બનીને બહાર આવ્યો છે. તેઓ મજૂરો અને જરૂરીયાતમંદોને બસો દ્વારા તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. તાજેતરમાં, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને તેમના કાર્યની બ્રિફિંગ આપવા માટે કાર્યાલય બોલાવ્યો હતો.
સોનુ સૂદ ઘણીવાર ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળ્યા છે, પરંતુ લોકડાઉનમાં જે પ્રકારની નિ:સ્વાર્થ રીતે તે લોકોને મદદ કરી રહ્યો છે તેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઇ રહી છે. તાજેતરમાં, તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીને મળ્યા અને આ કાર્ય વિશે વિગતવાર જણાવ્યું. તેણે કહ્યું કે, કેવી રીતે તે લોકોને ખવડાવી રહ્યા છે અને તેમના ઘરે મોકલી રહ્યા છે.
Film star @SonuSood called on at Raj Bhavan, Mumbai today. Shri Sood briefed about his ongoing work to help the migrant people to reach their home states and to provide them food. Applauded his great work and assured him of his fullest support in these endeavours. pic.twitter.com/oUMfIQGTeX
— Bhagat Singh Koshyari (@BSKoshyari) May 30, 2020
રાજ્યપાલે સોનુ સૂદના આ ઉમદા કાર્યથી ખૂબ ખુશ થયા અને તેમની પ્રશંસા પણ કરી હતી. વધુમાં, તેમણે અભિનેતાને ખાતરી પણ આપી હતી કે, અભિનેતાના આ ઉમદા કાર્યમાં તે તેમનો પૂર્ણ સપોર્ટ કરશે.