મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં તપાસ કરી રહેલી મુંબઇ પોલીસ હવે અભિનેત્રી કંગના રનૌતની પૂછપરછ પણ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કંગના જ્યારે તેના વતનથી પરત આવે છે ત્યારે તેની પૂછપરછ થઈ શકે છે. બાંદ્રા પોલીસની તપાસ ટીમ દ્વારા ગયા મહિને કંગનાને નોટિસ મોકલવામાં આવી હતી અને અભિનેત્રીની ગેરહાજરીમાં તેના એક સ્ટાફ સભ્યોને સોંપી હતી. નોંધનીય છે કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 38 લોકોની પૂછપરછ કરી છે.
અહેવાલો અનુસાર કંગના રનૌત મુંબઇની બહાર છે અને હિમાચલ પ્રદેશમાં તેના ઘરે સમય વિતાવી રહી છે. સૂત્ર મુજબ કંગનાને પુછવામાં આવી શકે છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી તે જાણવાની કોશિશ કરવા માટે તેની પાસે કોઈ માહિતી અથવા વિગતો છે કે કેમ? તેમનું નિવેદન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને તે લોકો વિશેની માહિતી પ્રદાન કરી શકે છે જેઓ સુશાંતની છબી અથવા કારકિર્દીને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.