આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિ શંકરે બેંગલુરૂ ખાતે પદ્દમાવત ફિલ્મ આર્ટ ઓફ લિવીંગ સેન્ટર ખાતે ખાસ સ્ક્રિનીંગમાં નિહાળ્યા બાદ ભરપુર વખાણ કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ અદ્દભતુ છે, આ ફિલ્મ પર આપણે ગૌરવ લેવું જોઇએ. શ્રીશ્રી રવિશંકરે કહ્યું હતું કે રાણી પદ્માવતિનું આ ફિલ્મ સન્માન કરે છે. સમગ્ર ફિલ્મમાં કયાંય એવી વાત નથી કે જેની સામે વિરોધ થઇ શકે. હું એ બાબતથી હેરાન છું કે કેટલાક લોકો શા માટે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે? રાણી કપદ્માવતિને આ ફિલ્મ સાચી શ્રધ્ધાંજલિ આપે છે અને રાજપૂતોના સન્માનની ગૌરવ ગાથા રૂપ આ ફિલ્મ છે. રાજસ્થાનમાં ફિલ્મનો સતત વિરોધ કરી રહેલી કરણી સેનાના કાર્યકરો ચિત્તોડગઢ, ઉદયપુર, કોટા, ભીલવાડામાં રોડ પર ઉતરી આવ્યા હતાં અને ફિલ્મ પ્રદર્શીત નહિ થવા દેવાય તેવી ચિમકી ઉચ્ચારી હતી. પદ્માવત ૨૪મીએ દેશભરમાં રિલીઝ પેઇડ પ્રિવ્યુથી રિલીઝ થશે. ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં ફિલ્મ પર મુકાયેલા પ્રતિબંધ સામે સુપ્રિમ કોર્ટમાં ગયેલા નિર્દેશક સંજય લીલા ભણશાલીને રાહત થઇ છે. અદાલતે ચાર રાજ્યોમાં ફિલ્મ પર મુકાયેલા પ્રતિબંધને અયોગ્ય ઠેરવી ફિલ્મ રિલીઝ માટે લીલીઝંડી આપી છે. સુપ્રિમ કોર્ટએ કહ્યું હતું કે કાયદો વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્યોની જવાબદારી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.